ગણપતિજીની વિદાય : રાજકોટમાં શહેરમાં સવારથી ગણપતિ વિસર્જન માટે લોકોનો જમાવડો, ઢોલ-નગારાના તાલે, અબીલ ગુલાલની છોળો ઉડી

  • September 28, 2023 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગણપતિજીની વિદાય : રાજકોટમાં શહેરમાં સવારથી ગણપતિ વિસર્જન માટે લોકોનો જમાવડો, ઢોલ-નગારાના તાલે, અબીલ ગુલાલની છોળો ઉડી

ગણપતિની ભક્તિ 10 દિવસ કર્યા બાદ આજે ભક્તો વાજતેગાજતે ગણપતિજીને વિદાય આપી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં પણ સવારથી લોકો ગણપતિ વિસર્જન હર્ષોલ્લસપૂર્વક કરી રહ્યા છે. અબીલ ગુલાલ સાથે ઢોલ નગારાના તાલે ગણપતિજીને વિદાય આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં 7 સ્થળોએ વિસર્જન કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં આજી ડેમ ઓવરફલો સાઇટ 1, 2 અને 3, આજી ચોકડી નજીક કૃત્રિમ કુંડ બનાવાયું છે. તેમજ વાગુદડ નદીમાં, ન્યારી ડેમ પાટીયા જામનગર રોડ પાસે, જખરાપીરની દરગાહ નજીક સહિતના સ્થળોએ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ સિવાય ફાયર બ્રિગેડ સ્ટાફ ક્રેઇન, વિવિધ પ્રકારના ઓજારો, લાઇવ જેકેટ, બોટ સહિતની સામગ્રી સાથે તૈનાત રહ્યું છે. તો સાથે જ  ડેમ નજીક બેરિકેટ લગાડવામાં આવ્યા છે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય. 100થી વધુ ફાયરના જવાનો, પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application