જેતપુરમાં ધારેશ્વર જીઆઇડીસીનું પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડાતા લોકોમાં રોષ

  • July 13, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરના ધારેશ્ર્વર વિસ્તારમાં આવેલી જીઆઇડીસીના કારખાનેદારો દ્વારા ખુલ્લેઆમ ભાદર નદીમાં સાડી ઉદ્યોગનું પ્રદૂષિત પાણી છોડાતું હોવાની ફરિયાદો ઉઠી છે. જેતપુરમાં ઘણા દિવસોથી ખુબ જ સારો વરસાદ થવાથી ભાદર નદીમાં ભારે પૂર આવવાથી તમામ પ્રદૂષિત પાણી દરિયામાં વહી ગયેલ હોય અને હાલ ભાદર નદી એકદમ ચોખ્ખી હોય, પરંતુ જેતપુરના અમુક કારખાનેદારો દ્વારા ભુગર્ભ ગટર તેમજ ખુલ્લેઆમ પ્રદૂષિત પાણી ફરી ભાદરમાં છોડાઇ રહ્યું છે. જેથી ગઇકાલે જીપીસીબીના અધિકારીઓની ટીમએ ધર્મેન્દ્ર વાંકાણી અને વિનોદ પરમાર દ્વારા ધારેશ્ર્વર જીઆઇડીસીના ફિલ્ટર પ્લાન્ટનું પાણી જે ખુલ્લેઆમ ભાદર નદીમાં છોડવામાં આવેલ હતું તે પ્રદૂષિત પાણીના નમુના લઇ અને કાયદેસર કાર્યવાહી કરેલ છે. હાલ જેતપુરના અમુક કારખાનેદારો બેફામ ભાદર નદીમાં ખુલ્લેઆમ પ્રદૂષિત પાણી છોડી રહ્યા છે તેમની સામે યોગ્ય પગલાં લે તેવી લોક માગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application