રાહુલ ગાંધી પાસેથી છીનવાશે બંગલો, ઘર ખાલી કરવાના અપાયા આદેશ

  • March 27, 2023 06:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક વિવાદાસ્પદ ટીપ્પણી બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી રહી છે. સુરતમાં દોષિત જારી થયેલા રાહુલ ગાંધીનું સંસદસભાપદ તો ગયું જ છે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સરકારી બંગલો છોડવાની નોટિસ આપવામાં આવી છે. રાહુલ ગાંધી હાલ 12 તુગલક લેનમાં સરકારી બંગલામાં રહે છે. રાહુલ ગાંધીએ 22 એપ્રિલ સુધીમાં તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવું પડશે. નોટિસ અનુસાર, અયોગ્ય જાહેર થયાના એક મહિનાની અંદર રાહુલ ગાંધીએ તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવું પડશે.
​​​​​​​

સુરતની એક અદાલતે ગુરુવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને 'મોદી અટક' સંબંધિત તેમની ટિપ્પણી બદલ તેમની સામે 2019 માં નોંધાયેલા ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી જે બાદ તેણે જામીન પણ મળી ગયા હતા. આ પછી શુક્રવારે રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અદાણી જૂથ સાથે જોડાયેલા પ્રશ્નો પરથી ધ્યાન હટાવવા માટે તેમના પર OBC સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application