BSPની જાહેરાત, અતીકની પત્ની શાઇસ્તા પરવીન હજુ પણ અમારી પાર્ટીનો હિસ્સો !

  • April 24, 2023 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બહુજન સમાજ પાર્ટી (BSP)ના ધારાસભ્ય ઉમાશંકર સિંહે રવિવારે કહ્યું હતું કે પ્રયાગરાજમાં તાજેતરના ગોળીબારમાં માર્યા ગયેલા માફિયા રાજકારણી અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન હજુ પણ BSPમાં છે અને જો દોષિત સાબિત થશે તો તેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે. બલિયાના રસરા મતવિસ્તારના BSP ધારાસભ્યએ રવિવારે BSPમાં અતિક અહમદની પત્ની શાઇસ્તા પરવીનની સ્થિતિ સ્પષ્ટ કરી. શાઈસ્તા પરવીન ઉમેશ પાલ મર્ડર કેસમાં આરોપી છે અને ફરાર છે. તેના પર 50 હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.


સિંહે કહ્યું કે અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન પાર્ટીમાં જ છે. તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા નથી. તેઓ પાર્ટીમાં કોઈ હોદ્દો ધરાવતા નથી. જો તે દોષિત સાબિત થશે તો તેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે. હજુ સુધી દોષિત સાબિત થયા નથી. પાર્ટીને તેમના પ્રત્યે સહાનુભૂતિ છે. ઉમેશ પાલ હત્યા કેસના આરોપી ભૂતપૂર્વ સાંસદ માફિયા રાજકારણી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને 15 એપ્રિલે ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી જ્યારે તેઓને પ્રયાગરાજમાં તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા.


અતીકની પત્ની શાઇસ્તા ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી છે અને એવી ચર્ચા હતી કે બસપાએ તેને પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદ માટે નોમિનેટ કરી છે, પરંતુ ઉમેશ પાલ હત્યા કેસમાં તેનું નામ સામે આવ્યા બાદ પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી કે શાઇસ્તા ટિકિટ આપી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application