ભાવનગર મહાનગપાલિકા દ્વારા ૧૧૨૪ કરદાતાઓ પાસેથી ૨.૧૭ કરોડ રૂપિયાનો મિલકતવેરો વસુલ કર્યો

  • February 23, 2023 05:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

મહાનગરપાલિકા દ્વારા તારીખ ૧૫-૦૨-૨૦૧૩ થી હાથ ધરાયેલ મિલકત કર વસુલાતની માસ જપ્તી ડ્રાઈવના છઠ્ઠા દિવસે આજે સમગ્ર શહેરમાં કુલ ૨૯ મિલકતો સીલ કરવામાં આવેલ છે. જયારે એકંદરે કુલ ૧૫૮ આસામીઓ દ્વારા કુલ ૫૪.૦૫ લાખ રૂપિયાનો વેરો ભરપાઈ કરવામાં આવેલ છે. કુલ ૨૯ આસામીઓ દ્વારા આશરે ૫.૯૧ લાખ રૂપિયાનો બાકી વેરો ઓનલાઈન પેમેન્ટ દ્વારા સ્થળ પર જ ભરપાઈ કરી આપવામાં આવેલ છે.

મિલકત કર વસુલાતની માસ જપ્તી ડ્રાઈવના પ્રથમ ૬ દિવસોમાં કુલ ૧૧૨૪ કરદાતાઓ પાસેથી કુલ ૨.૧૭ કરોડ રૂપિયાનો મિલકતવેરો વસુલ લેવામાં આવેલ છે.

આગામી દિવસોમાં વેરો ભરપાઈ કરવાનો બાકી હોઇ તેવી મિલકતોમાં સીલીંગ તથા વોટર કનેક્શન કટ કરવાની કામગીરી શરુ રહેનાર હોઈ, બાકી મિલકત વેરો સત્વરે ભરપાઈ કરવા આ સાથે અનુરોધ કરવામાં આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application