બાલાજી મંદિર વિવાદ : ગેરકાયદેસર બાંધકામ હશે તો અમે દૂર કરીશું : વિવેક્સાગર સ્વામી

  • May 03, 2023 01:50 PM 

રાજકોટમાં બાલાજી મંદિર ટ્રસ્ટ વિવાદ મુદ્દે કોઠારીસ્વામી વિવેકસાગરનું મહત્વનું નિવેદન આપ્યું છે. સરકારે અમને મંદિરનું બાંધકામ કરવા માટે મૌખિક મંજૂરી આપી હતી. મંદિરને બદનામ કરવાનું કાવતરૂ છે. અમે સરકારમાં તમામ જવાબો લેખિતમાં રજૂ કર્યા છે. સરકારનો આદેશ છે જ્યાં સુધી લેખિત મંજૂરી ન મળે ત્યાં સુધી બાંધકામ બંધ રાખવામાં આવશે. જો ગેરકાયદેસર બાંધકામ હશે તો અમે દૂર કરીશું. અમે ૩ કરોડના ખર્ચે કરણસિંહજી હાઇસ્કૂલનું સમારકામ કર્યું છે. અમને જગ્યાની ફાળવણી કરાઇ તે નિયમોનું પાલન કર્યું છે. અહીં ગરીબ વિધાર્થીઓને સંસ્કૃત શિક્ષણ આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application