ફલેટની બાલકનીમાંથી પટકાતા વિલાસબેન યાદવનું મોત

  • March 19, 2024 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના રૈયારોડ પર આવેલા જીવનયોત એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતા મહિલા આજે વહેલી સવારે લેટની બાલ્કનીમાંથી પડી જતા ગંભીર ઇજા થવાના કારણે મોત નીપયું હતું. પ્રાપ્ત વિગત મુજબ રૈયારોડ પર રાવલનગર–૨ના ખૂણે આવેલા જીવનયોત એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા વિલાસબેન પ્રવીણભાઈ યાદવ (ઉ.વ.૫૦)નામના મહિલા આજે વહેલી સવારે ચારેક વાગ્યે લેટની બાલ્કનીમાથી નીચે પડી જતાં પરિવારજનો સહિત આસપાસના રહીશો દોડી ગયા હતા અને લોહી લુહાણ હાલતમાં પડેલા મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા હોવાથી સારવાર શ કરવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી.મૃતકના પતિ પ્રવીણભાઈ કડિયાકામ કરે છે અને સંતાનમાં ત્રણ પુત્રી એક પુત્ર છે. પરિવારના કહેવા મુજબ વિલાસબેનને મગજની તકલીફ હોવાથી તેની દવા પણ ચાલતી હતી. ગતરાત્રીના ત્રણેક વાગ્યા સુધી બધા જાગતા હતા બાદમાં બધા મમાં સુવા ગયા હતા ત્યારે સવારે બનાવ બન્યો હતો. વધુ તપાસ ગાંધીગ્રામ પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application