પાલીતાણાની તમામ આંગણવાડી કેન્દ્રો પર પોષણમાસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

  • September 05, 2024 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  રાજય સરકાર દ્વારા સગર્ભા માતા, કિશોરીઓ, બાળકો સુપોષિત બને તે માટે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે ભાવનગરના પાલીતાણા તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં પાલીતાણાના સી.ડી.પી.ઓ. અલ્પાબેન મકવાણાએ પૂરક પોષણ, દૈનિક પૂર્ણા શકિત, માતૃશકિતનો ઉપયોગ, ખોરાકની વિવિધતા, એનિમિયા રોકથામ અને ઉપાય તેમજ આંગણવાડી દ્વારા પૂર્ણા દિવસ તેમજ સુપોષણ સંવાદ દિવસ ઉજવણીની માહિતી આપી હતી. આ અવસરે વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.                 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application