શહેરના જામનગર રોડ પર રામાપીર મંદિર પાસે સ્લમ ક્વાર્ટરમાં રહેતા યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
સ્લમ ક્વાર્ટરમાં રહેતો ચંદ્રકાંત ઠાકરશીભાઈ વાડોદરા (ઉ.વ.29)નામના યુવકે ગત રોજ પોતાના ઘરે છતના હૂંકમાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનો જોઈ જતા તાકીદે નીચે ઉતારી 108ને જાણ કરતા 108ની ટિમ સ્થળ પર પહોંચી ઇએમટીએ જોઈ જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પ્ર.નગર પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુવક કોઈ કામ ધંધો કરતો નહતો અને માનસિક તકલીફ હોવાથી પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વધુ તપાસ પ્ર.નગર પોલીસે હાથ ધરી છે.
બીજા બનાવમાં યુનિવર્સીટી રોડ પર યોગીનગરમાં રહેતા દિલિપસિંહ નાથુજી ચુડાસમા (ઉ.વ.53) નામના આધેડએ ગત તા.5ના અટલ સરોવર પાસે આવેલી પોતાની વાડીએ ઝેરી દવા પી નાનાભાઈને ફોન કરી જાણ કરતા નાના ભાઈ સહિતના પરિવારજનો વાડીએ પહોંચી તાત્કાલિક સિનજીર્ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા સારવાર દરમિયાન ગઈકાલે દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ દ્વારા યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ આતે સિવિલ હોસ્પિટલએ ખસેડી તપાસ હાથ ધરી હતી. આધેડને ડાયાબિટીસ અને પેટની બીમારી હોય જેનાથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનું કારણ લાગી રહ્યું છે. વધુ તપાસ યુનિવર્સીટી પોલીસે હાથ ધરી છે. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.
ત્રીજા બનાવમાં પડધરી ગામે રહેતી રીના નવઘણભાઈ રાઠોડ (ઉ.વ.18) નામની યુવતિએ ગત તા.6 ના રોજ બપોરના સમયે ઘરે હતી ત્યારે એસિડ પી લેતા પ્રથમ પડધરી બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેનું ગઈરાત્રે સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવતિ રીના કારખાનામાં કામ કરતી હતી. અને બે બહેન એક ભાઇમાં નાની હતી. તેણીએ ક્યાં કારણોસર પગલું ભર્યું તે અંગે પરિવારજનો જાણતા ન હોઈ કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMબેન્જામિન નેતન્યાહુએ ખામેનીની ધમકી પર કહ્યું, હુમલાનો જવાબ આપવો એ અમારો અધિકાર...
October 06, 2024 11:00 AMમુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગતા, એક જ પરિવારના 7 લોકોના મોત
October 06, 2024 10:41 AMમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech