મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગતા, એક જ પરિવારના 7 લોકોના મોત

  • October 06, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક મકાનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતાં મોટો અકસ્માત થયો હતો. આ ઘટનામાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘરમાં વીજ વાયરિંગને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે પરિવારના સભ્યોને બચવાની તક પણ નહોતી મળી. જ્યાં આગ લાગી તે ઘરની નીચે એક દુકાન છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.


આ ઘટનામાં પરિવારના સાત સભ્યો આગમાં ખરાબ રીતે દાઝી ગયા હતા. તેને તાકીદે રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. આગના કારણે ઘરમાં રાખેલ તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. 


બિલ્ડિંગમાં જોરદાર આગ ફાટી નીકળી હતી


મુંબઈના ચેમ્બુરમાં રવિવારે વહેલી સવારે એક બે માળની ઈમારતમાં આગ લાગી હતી. જે બિલ્ડીંગમાં આગ લાગી હતી તેના ગ્રાઉન્ડ ફ્લોર પર એક દુકાન હતી. જ્યારે પરિવાર ઉપરના માળે રહેતો હતો. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર તેમને સવારે 5.20 વાગ્યે આગની માહિતી મળી હતી. સ્થળ પર આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત દુકાનમાં શરૂ થઈ અને ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ. ઉપરના માળે સૂતો પરિવાર આગની લપેટમાં આવી ગયો હતો.


એક જ પરિવારના સાત સભ્યોના મોત


આગ પર માંડ માંડ કાબૂ મેળવી શકાયો હતો. ઘરમાં ફસાયેલા પરિવારને બહાર કાઢવામાં આવ્યો હતો. તે લોકો આગમાં ખરાબ રીતે દાઝી ગયા હતા. તેને તાત્કાલિક સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ પરિવારના સાત સભ્યોને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ પામેલાઓમાં ગીતાદેવી ગુપ્તા (60 વર્ષ), અનિતા ગુપ્તા (39 વર્ષ), પ્રેમ ગુપ્તા (30 વર્ષ), મંજુ પ્રેમ ગુપ્તા (30 વર્ષ), વિધિ ગુપ્તા (15 વર્ષ), નરેન્દ્ર ગુપ્તા (10 વર્ષ) અને પ્રેસી ગુપ્તા (6 વર્ષ)નો સમાવેશ થાય છે. પોલીસ આગના કારણની તપાસ કરી રહી છે.


સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આગ વહેલી સવારે 4 વાગે લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે નજીકના લોકોએ પહેલા બાજુની છત તોડી અને પછી ઘરની અંદર ગયા. આગ એક કલાકમાં કાબૂમાં આવી ગઈ હતી પરંતુ ત્યાં સુધીમાં જાન-માલનું મોટું નુકસાન થયું હતું. મકાનના ઈલેક્ટ્રીકલ વાયરીંગમાં આગ લાગવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને લોકોને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો ન હતો. DCP હેમરાજ રાજપૂત સહિત ફાયર વિભાગના અધિકારીઓએ પણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક લોકોએ કહ્યું કે કોઈને કંઈ સમજવાનો મોકો મળ્યો નથી. સ્લમ વિસ્તાર હોવાથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. પરિવાર ઉપરના માળે ફ


સાઈ ગયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application