કુવાડવા રોડ પરથી યુવકની ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી, અકસ્માત કે હત્યા?

  • April 01, 2024 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કુવાડવા રોડ અમદાવાદ હાઈવે મઘરવાડા ગામ પાસે વાડીએ રહેતા મધ્યપ્રદેશના વતની પરપ્રાંતિય શ્રમિક યુવકની આજે કુવાડવા હાઈવે પર ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવતા અકસ્માતે મોત થયું કે હત્યા? તે સ્પષ્ટ્ર ન થતાં ફોરેન્સિક પી.એમ. કરાવવા લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લવાઈ છે.

કુવાડવા રોડ પર માધવ હોટલ પાસે એક યુવકની લાશ પડી હોવાની માહિતી મળતા કુવાડવા રોડ પોલીસ મથક પીઆઈ વી.આર.રાઠોડ, રાઈટર અરવિંદ મકવાણા સહિતના દોડી ગયા હતા. મોત આકસ્મિક નહીં પરંતુ શંકાસ્પદ લાગતા ઉચ્ચ અધિકારીઓને જાણ કરાતા ડીસીપી ઝોન–૧ સનસિંહ પરમાર, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ સહિતના પણ દોડી ગયા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મઘરવાડા ગામે રહી ખેતી કામ કરતો પાકિયા ઉર્ફે વિનોદ પાડવી ગેદરિયા ઉ.વ.૩૬ નામનો મધ્યપ્રદેશનો વતની યુવક હોવાની ઓળખ મળી હતી. વિનોદ ૨૫ દિવસ પૂર્વે વતન ગયો હતો ત્યારે ખેતી કામ છોડી દીધું હતું. દશ દિવસ પહેલા પરત આવતા સેન્ટ્રીંગ કામમાં લાગ્યો હતો. મઘરવાડાએ મિત્ર સાથે વાડીએ રહેતો હતો.
ગત શનિવારે તે વાડીએથી મિત્રને થોડીવારમાં આવુ કહીને નીકળ્યો હતો. ત્યારબાદ મિત્રને સંપર્ક થયો ન હતો અને આજે તેની લાશ કુવાડવા હાઈવે પરથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. ઈજાના નિશાનો જોતા કદાચિત કોઈએ હત્યા પણ નીપજાવી હોઈ શકે તેવી અધિકારીઓને આશંકા દેખાઈ હતી. મોતનું સ્પષ્ટ્ર કારણ જાણવા ફોરેન્સિક પી.એમ. માટે લાશને સિવિલ હોસ્પિટલમાં લવાઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application