ગુજરાતમાં આફતનું આગમન,કચ્છમાં વાવાઝોડાના લેન્ડફોલની પ્રકિયા શરૂ

  • June 15, 2023 07:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કચ્છમાં NDRF ની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત છે. લાઈવ જેકેટ,બોટ તથા આધુનિક સાધનો સાથે આ ટીમ સજ્જ છે.


બિપરજોય વાવાઝોડું આજે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જો કે પવનની ઝડપ ઘટવાને કારણે વાવાઝોડાનું લેન્ડફોલ મોડી થશે.  હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું  કે, બિપરજોય વાવાઝોડાનું લેન્ડફોલ લગભગ 8 વાગ્યાની આસપાસ શરૂ થવાની ધારણા છે જે મધરાત સુધી ચાલશે





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application