આવકવેરા ખાતું એકશનમાં મોરબીના સિરામિક ગ્રુપમાં સર્વે

  • May 09, 2024 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચૂંટણીના પડઘમ પૂર્ણ થતાની સાથે જ આવકવેરા વિભાગે કરચોરો પર તવાઇ ઉતારી છે. મળતી વિગતો અનુસાર સુરતમાં એક ગ્રુપ પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન મોરબીના સિરામિક ગ્રુપનું કનેકશન ખુલતા મોરબીના શિવ જયોત સિરામિક પર રાજકોટ ઇન્કમટેકસ વિભાગની ટીમ તપાસ માટે પહોંચી છે.
ચૂંટણીની આચારસંહિતાના લીધે આવકવેરા વિભાગે દરોડાની કામગીરી પર બ્રેક રાખ્યો હતો તે પૂવે રાજકોટના મોટા ગજાના લાડાણી અને ઓરબિટ ગ્રુપ સહિત અનેક ગ્રુપને ધમધોળી નાખ્યા હતાં. કરોડોની કરચોરી કબજે કર્યા બાદ ચૂંટણી દરમિયાન રોકડ રકમની હેરાફેરી પર બાજ નજર રાખી આવકવેરા વિભાગ બેઠું હતું. આ દરમિયાન સુરતના એક ગ્રુપ પર સર્વે હાથ ધર્યેા છે. જેની તપાસનો રેલો મોરબીના શિવ જયોત સિરામિક સુધી પહોંચ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application