જામનગરની યુવતિને જેતપુરના સાસરિયાનો સીતમ

  • June 19, 2023 02:14 PM 

જામનગરના વિભાપરમાં રહેતી અને જેતપુર પરણાવેલી એક પરણીતાને તેણીના સાસરીયાઓએ ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણીએ સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળની ફરિયાદ નોંધાવી હતી.

જામનગર નજીક વિભાપરમાં ભગવતી પાર્ક સોસાયટીમાં રહેતી યોગીતાબેન વિમલભાઈ મહેતા નામની યુવતીએ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને રાજકોટ જીલ્લાના જેતપુર પંથકના નવાગઢમાં રહેતા પોતાના સાસરીયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હોવાનું જણાવ્યું હતું.

જેથી મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે. એન. જાડેજાએ યોગીતાબેનની ફરિયાદના આધારે તેણીના પતિ વિમલ ગૌતમભાઈ મહેતા, સાસુ લતાબેન ગૌતમભાઈ મહેતા, સસરા ગૌતમભાઈ રેવાશંકર મહેતા, અને નણંદ હેતલબેન જયકુમાર ઠાકર સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application