રતન ટાટાની છેલ્લી પોસ્ટ: મારા વિશે વિચારવા બદલ આભાર

  • October 10, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રતન ટાટાએ સોમવારે તેમની છેલ્લી પોસ્ટમાં સ્વાસ્થ્યને લગતી અફવાઓને ફગાવી દીધી હતી ત્યારે તેણે તેના ચાહકો માટે એક સંદેશ લખ્યો હતો કે મારા વિશે વિચારવા બદલ આભાર. તેણે એક્સ પર લખ્યું, હું મારા સ્વાસ્થ્ય વિશે ફેલાયેલી અફવાઓથી વાકેફ છું અને હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે આ દાવાઓ પાયાવિહોણા છે. મારી ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને લીધે, હું હાલમાં તબીબી તપાસ કરાવી રહ્યો છું. પીએમ મોદીથી લઈને રાષ્ટ્રપતિએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રતન ટાટાના નિધનની જાહેરાત કરતા, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને તેમની શ્રેષ્ઠતા, અખંડિતતા અને નવીનતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું કે ખૂબ જ દુ:ખ સાથે તેઓ રતન ટાટાને વિદાય આપી રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application