૧૯મી ફેબ્રુઆરીથી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની પ્રેકટિકલ પરીક્ષા

  • February 05, 2024 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પરીક્ષાની મોસમ શ થતા ની સાથે જ ૧૯મી ફેબ્રુઆરીથી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની પ્રેકટીકલ પરીક્ષાનો પ્રારભં થશે તાજેતરમાં જ એન્જિનિયરિંગના પ્રવેશ માટે લેવાતી જેઇઈની પરીક્ષાનો પ્રથમ રાઉન્ડ પૂરા થયા બાદ હવે ધોરણ ૧૨ સાયન્સ ના વિધાર્થીઓ માટે પ્રેકટીકલ પરીક્ષાઓ શ થઈ જશે. જિલ્લા સહિત રાયના શિક્ષણ વિભાગ દ્રારા બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ શ થઈ ચૂકી છે તો સાથે વિધાર્થીઓ પણ તેમની આખા વર્ષની મહેનત નો નીચોડ આપવા માટે તૈયાર થઈ ગયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા માટે તૈયારીઓનું નિરીક્ષણ ચાલી રહ્યું છે યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રેકટીકલ પરીક્ષા ૧૯મી ફેબ્રુઆરી થી શરૂ થશે.

શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૨ ની જીવવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન માટેની પ્રેકટીકલ પરીક્ષા નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે ૧૯ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન આ પ્રેકટીકલ પરીક્ષા લેવામાં આવશે. રાજકોટ સહિત જિલ્લામાં વિવિધ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર્ર કચ્છમાં પણ વિવિધ કેન્દ્રોમાં પરીક્ષા લેવાનારી હોવાથી શાળા સંચાલકોને જિલ્લા શિક્ષણ વિભાગ દ્રારા સૂચના આપવામાં આવી છે. સરકારી પ્રતિનિધિ તરીકે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે છ ફેબ્રુઆરીથી તબક્કાવાર બેઠક યોજાશે અને શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application