પીએમ મોદી ભલે ગમે તેટલી સ્પષ્ટતા કરે પણ તે ભ્રષ્ટાચારના ચેમ્પિયન છે

  • April 17, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ ગાઝિયાબાદ પહોંચ્યા હતા. અહીં, બંને નેતાઓએ કૌશામ્બીની રેડિયન્સ બ્લુ હોટેલમાં ઈન્ડિયા એલાયન્સના કોંગ્રેસ ઉમેદવાર ડોલી શમર્નિા સમર્થનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. બંને નેતાઓએ તમામ દેશવાસીઓને રામ નવમીની શુભેચ્છા પાઠવી હતી.

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે કહ્યું કે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ વખતે ઈન્ડિયા એલાયન્સ ગાઝિયાબાદથી ગાઝીપુર સુધી ભાજપ્નો સફાયો કરવા જઈ રહ્યું છે. ભાજપ ભ્રષ્ટાચારીઓનું ગોદામ બની ગયું છે. ડબલ એન્જિન સરકારનો દાવો કરનારાઓ હવે હોર્ડિંગ્સમાં એકલા જોવા મળી રહ્યા છે. લુટ અને જુઠ્ઠાણું ભાજપ્નું સૂત્ર બની ગયું છે. દેશની જનતા આગામી ચૂંટણીમાં પરિવર્તન ઈચ્છે છે. પીએમ મોદી ભલે ગમે તેટલી સ્પષ્ટતા કરે પણ તેઓ ભ્રષ્ટાચારના ચેમ્પિયન છે.

આ દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે પશ્ચિમથી ફૂંકાતા પવન યુપી અને દેશમાં પરિવર્તન લાવશે અને ભારત ગઠબંધન ગાઝિયાબાદથી ગાઝીપુર સુધી ક્લીન સ્વીપ કરશે. લુંટ અને જુઠ્ઠાણું એનડીએ ગઠબંધનની ઓળખ બની ગઈ છે. કાર્યકરોને અપીલ કરતાં તેમણે કહ્યું કે એક પણ મતનું વિભાજન ન થવું જોઈએ. મતદાન કરો, સાવચેત રહો અને બૂથની સુરક્ષા કરો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, આ વિચારધારાની ચૂંટણી છે. ભારતનું ગઠબંધન બંધારણ અને લોકશાહીનું રક્ષણ કરી રહ્યું છે. બેરોજગારી, મોંઘવારી, ભાગીદારી, આ અમારા મુદ્દા છે. પીએમ મોદી સમુદ્રની નીચે જાય કે આકાશમાં જાય, તેઓને આ મુદ્દાઓની પરવાહ નથી.થોડા દિવસો પહેલા પીએમએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને પારદર્શિતાની વાત કરી હતી, પરંતુ તેમણે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન આપ્નારા લોકોના નામ કેમ જાહેર ન કર્યા આ બોન્ડ ડાયરેક્ટ કલેક્શન છે. 15 દિવસ પહેલા એવું લાગતું હતું કે ભાજપ્ને 180 બેઠકો મળશે અને હવે લાગે છે કે તેને માત્ર 150 બેઠકો મળશે.}

આ દરમિયાન રાહુલ ગાંધીએ પણ ભાજપ્ને સવાલ પૂછ્યો કે જો ચૂંટણી બોન્ડ યોગ્ય જ હતું તો પછી સુપ્રીમકોર્ટે તેને રદ કેમ કર્યા? જે લોકોએ ભાજપને હજારો કરોડો રૂપિયા આપ્યા તેના વિશે વિગતો કેમ છુપાવાઈ? કંપ્નીઓને હજારો કરોડોના કોન્ટ્રાક્ટ અપાય છે અને તેના તાત્કાલિક બાદ તે કંપ્નીઓ ભાજપ્ને ડોનેશન આપે છે. હાલમાં બેરોજગારી, મોંઘવારી મુખ્ય મુદ્દા છે છતાં ભાજપ ફક્ત લોકોનું ધ્યાન ભટકાવવામાં જ વ્યસ્ત છે. ખેડૂતો પણ પરેશાન છે. તેમને એમએસપી નથી મળી રહી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application