નોર્થઇસ્ટ હવે દિલ્હીથી દૂર નથી અને દિલથી પણ દૂર નથી : પીએમ મોદી 

  • March 03, 2023 02:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વોતરની જીતને લઈને વડાપ્રધાને  દિલ્હી કાર્યલયેથી કર્યું સંબોધન 


ભાજપની પૂર્વોત્તર રાજ્યની ભવ્ય જીતની  કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે. આ વચ્ચે જીતના અભિનંદન આપવા માટે દિલ્હી ભાજપના મુખ્ય કાર્યાલયે વડા પ્રધાન મોદી પહોંચ્યા હતા.કાર્યકરોને  સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જનતાઆ ભાજપને ભરપૂર આશીર્વાદ આપ્યા છે. આ આ પરિણામ કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે. કાર્યકર્તાઓને પણ અભિનંદન આપ્યા હતા. સંબોધનમાં મોદીએ આ અવસર જનતાને નમન કરવાનો છે કહી કાર્યકરોને એક સંદેશ પણ આપ્યો હતો. આ પરિણામ દેશ અને દુનિયા માટે પણ એક સંદેશ હોવાનું પીએમ મોદીએ ઉમેર્યું હતું. પહેલા નોર્થ ઇસ્ટમાં હિંસાની ચર્ચા થતી હતી આજે નોર્થ ઇસ્ટ નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. હું પૂર્વોતરની જનતાને નમન કરું છું. અમે જનતાના દિલ જીતવા માટે આવ્યા છીએ અમારા માટે એજ મોટી વાત છે.  ભારતની વાત કરતા મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે,ભારતના લોકોને લોક તંત્ર પર વિશ્વાસ છે. ભાજપની જીતથી કેટલાક લોકોને પેટમાં દુખે છે. એ જીતને પચાવી નથી શકતા, અમારા શુભ ચિંતકો હેરાનગી અનુભવી રહ્યા છે. આમ નામ લીધા વગર વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. અમારા વિજય અભીયાનનું રહસ્ય ત્રિવેણીમા છુપાયેલું છે. અમારા માટે દેશ અને દેશવાસીઓ પહેલા છે.  અમે દેશને રાજનીતિની નવી સંસ્કૃતિ આપી છે. 



ભાજપની જીત મોદીના વિઝનનું પરિણામ: જે.પી.નડ્ડા
વડાપ્રધાનના સંબોધન પૂર્વે  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પૂર્વોત્તરમાં ભાજપની જીત મોદીના વિઝનનું પરિણામ હોવાની સાથે છે. મોદીની મહેનતની જીત હોવાનું જણાવ્યું હતું. વધુમાં નડ્ડાએ કોંગ્રેસને નિશાન તાકતા કહ્યું હતું કે, રસ્સી બળી  પરંતુ બળ ના આવ્યું, આજે ક્યાંય કોંગ્રેસ રિઝલ્ટમાં જોવા મળી નહતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application