લક્ષદ્વીપ-માલદીવ વિવાદ વચ્ચે કૂદવું રણવીરને ભારે પડ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક કોમેન્ટ્સ કરવા બદલ માલદીવના ત્રણ નાયબ પ્રધાનોને રવિવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાંધાજનક પોસ્ટ લખી હતી. જેના કારણે મોટો વિવાદ ઉભો થયો છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવના ત્રણ નાયબ પ્રધાનો દ્વારા અપમાનજનક કોમેન્ટ્સ કર્યા પછી, માલદીવમાં પ્રવાસન પર પ્રતિબંધ મૂકવા માટે ભારતમાંથી અવાજો ઉઠવા લાગ્યા છે. એક તરફ માલદીવના ત્રણ નાયબ મંત્રીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. બોલિવૂડ અને અન્ય સેલિબ્રિટીઓ પણ આ વિવાદમાં કૂદી પડ્યા.
લક્ષદ્વીપ અને આંદામાન સહિત ભારતના અન્ય પ્રવાસન સ્થળો વિશે ઘણા લોકોએ પોસ્ટ્સ લખી છે. અભિનેતા રણવીર સિંહે પણ આવી જ પોસ્ટ લખી છે. પરંતુ આ વખતે એક ભૂલ તેને મોંઘી પડી છે. આ ભૂલ બાદ તેણે પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી હતી.
રણવીર સિંહે ચાહકોને લક્ષદ્વીપની મુલાકાત લેવા અને અસાધારણ ભારતીય સંસ્કૃતિનો અનુભવ કરવા વિનંતી કરી છે. ચાલો વર્ષ 2024માં ભારતમાં વિવિધ સ્થળોએ પ્રવાસ કરીએ અને તેની સંસ્કૃતિનો અનુભવ કરીએ. તેણે લખ્યું, આપણા દેશમાં જોવા માટે ઘણા મનોહર સ્થળો અને બીચ છે. આ પોસ્ટની સાથે તેણે એક ફોટો પણ પોસ્ટ કર્યો છે. પરંતુ નેટીઝન્સે દાવો કર્યો છે કે આ તસવીર માલદીવની છે. આ પછી ઘણા લોકો રણવીરને ટ્રોલ કરવા લાગ્યા.
એકે લખ્યું, “હવે રણવીર માલદીવનો બહિષ્કાર કરવા માટે માલદીવની તસવીરનો ઉપયોગ કરી રહ્યો છે.” બીજાએ કહ્યું કે, ‘રણવીરે લક્ષદ્વીપના પ્રચારના નામે માલદીવની તસવીર પોસ્ટ કરી છે.’ કેટલાક લોકોએ રણવીરે પોસ્ટ કરેલી તસવીરોમાં ટાપુઓના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.
આ ટ્રોલિંગ પછી આખરે રણવીરે તેની પોસ્ટ ડિલીટ કરી દીધી અને થોડાં સમય પછી તે જ પોસ્ટ ટ્વિટર પર કોઈ પણ ફોટો વગર શેર કરી છે. રવિવારે, અક્ષય કુમાર, વરુણ ધવન, સલમાન ખાન, શ્રદ્ધા કપૂર, જાહ્નવી કપૂર, જ્હોન અબ્રાહમ, સચિન તેંડુલકર, વેંકટેશ પ્રસાદ અને વીરેન્દ્ર સેહવાગ જેવી હસ્તીઓએ લોકોને ભારતીય પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા વિનંતી કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. આ ચર્ચામાં અમિતાભ બચ્ચને પણ પોતાની ભૂમિકા ભજવી હતી. બચ્ચને સોમવારે કહ્યું, “લક્ષદ્વીપ અને આંદામાન અદ્ભુત રીતે સુંદર સ્થળો છે.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech