કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો

  • February 24, 2025 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંત્રીએ રણજીતપર, ખીલોસ, મોટી લાખાણી, નાની લાખાણી, જામવંથલી અને વરણા ગામોની મુલાકાત લઇ નાગરિકોની રજૂઆતોના સુખદ સમાધાન માટે આશ્વાસન આપ્યુ.


જામનગર તા.૨૪ ફેબ્રુઆરી, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી નાગરિકોની સુખાકારી વધે તે માટે સતત કાર્યશીલ રહે છે.

ગામડાઓમાં વસતા નાગરિકોની રજૂઆતોનો સકારાત્મક ઉકેલ લાવવાના હેતુથી જામનગર જિલ્લાના રણજીતપર, ખીલોસ, મોટી લાખાણી, નાની લાખાણી, જામવંથલી અને વરણા ગામોની મુલાકાત લઈ મંત્રીએ ગ્રામજનો સાથે બેઠક યોજી સંવાદ સાધ્યો હતો. બેઠકમાં મંત્રીએ ગ્રામજનોની રજૂઆતો સાંભળી તેમના પ્રશ્નોના સુખદ સમાધાન આવે તે દિશામાં કામગીરી કરવા આશ્વાસન આપ્યું હતું. 


ઉલ્લેખનીય છે કે મંત્રી દ્વારા જામનગર જિલ્લાના ગામડાઓની રૂબરૂ મુલાકાત લઈ લોકોની રજૂઆતો સાંભળી તે દિશામાં આયોજન હાથ ધરી લોકોની સુવિધાઓમાં વધારો થાય પ્રકારે કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સર્કિટ હાઉસ ખાતે પણ લોકસંપર્કનું આયોજન કરવામાં આવે છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application