કાલથી લક્ષદ્રીપમાં પાણી શુધ્ધ કરવા માટેનો પ્રોજેકટ શરૂ કરશે ઈઝરાયેલ

  • January 09, 2024 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માલદીવના મંત્રીની મોદી વિદ્ધ અપમાનજનક ટીપ્પણી બાદ માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો પર અસર પહોચી છે અને વિશ્વભરમાંથી માલદીવ ના મંત્રી સામે આક્રોશ ઠલવાઇ રહ્યો છે ત્યારે ભારતના મિત્ર દેશ ઈઝરાયેલએ આવતી કાલથી લક્ષદ્રીપમાં પાણી શુધ્ધિકરણ પ્રોજેકટ હાથ ધરશે તેવી જાહેરાત કરીને મિત્રતા નિભાવી છે અને માલદીવ ને આયનો બતાવી દીધો છે.ભારતના મિત્ર દેશ ઈઝરાયેલે પણ લક્ષદ્રીપની પ્રાકૃતિક સુંદરતાના વખાણ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્ધ માલદીવના મંત્રીઓની અપમાનજનક ટિપ્પણી બાદ બંને દેશો વચ્ચે રાજદ્રારી તણાવ વધી ગયો છે.

આ ઉપરાંત તેમણે લક્ષદ્રીપને લઈને પણ મોટી જાહેરાત કરી છે. ઈઝરાયેલે કહ્યું છે કે તે આવતીકાલથી આ કેન્દ્રશાસિત પ્રદેશમાં સમુદ્રના પાણીને શુદ્ધ કરવાના પ્રોજેકટ પર કામ શ કરશે.

ભારતમાં ઇઝરાયલી દૂતાવાસે તેના  હેન્ડલ પર લક્ષદ્રીપની કેટલીક તસવીરો શેર કરતા લખ્યું, 'અમે ગયા વર્ષે ભારત સરકારના ડિસેલિનેશન પ્રોજેકટને શ કરવાની વિનંતી પર લક્ષદ્રીપ ગયા હતા.ઈઝરાયેલ આ પ્રોજેકટ પર કામ શ કરવા માટે તૈયાર છે. આ આખો વિવાદ ત્યારે શ થયો યારે માલદીવ સરકારના મંત્રી મરિયમ શિયુનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  પર પીએમ મોદી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યેા. લક્ષદ્રીપની મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ તેમના એકસ હેન્ડલ પરથી ત્યાંની પ્રાકૃતિક સુંદરતાના વખાણ કરતા કેટલીક તસવીરો શેર કરી હતી. દેશભરમાં થી માલદીવના બુકિંગ કેન્સલ થવા લાગ્યા છે અને ટુર ઓપરેટર્સ અન્ય ટાપુ ઓ માં ફરવા જવા વિશેષ ઓફર આપી રહ્યા છે, જેના લીધે માલદીવ સરકારને જબરો ફટકો સહન કરવો પડી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application