વીંછિયામાં યુવાન પર ફાયરિંગ; મંત્રી બાવળિયા સામે આક્ષેપો
વીંછિયામાં જસદણ રોડ પર રહેતા મુકેશ મનસુખભાઈ રાજપરા ઉ.વ.૪૦ નામના સામાજિક કાર્યકર્તા પર આજે સવારે આઈ–૨૦ અને બાઈકમાં આવેલા છ શખસોએ રસ્તામાં આંતરી કુહાડી, ધોકા, લાકડી વડે સરાજાહેર હુમલો કરી પગમાં ફાયરિંગ કર્યાના બનાવથી તેમજ યુવકે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ઈશારે હુમલો થયાના આક્ષેપો કરતાં પોલીસમાં દોડધામ થઈ પડી છે. પોલીસે માર માર્યા બાબતની ઘટનાને સમર્થન આપ્યું છે. બાકી ફાયરિંગ થયાનો ઈન્કાર કરી વધુ તપાસ ચલાવી રહ્યાનું રટણ કયુ છે.
વીંછિયાના કોળી વિકાસ સંગઠન નામની સંસ્થા ચલાવતા મુકેશ રાજપરાને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવાયો છે. મુકેશે પોલીસ સમક્ષ નોંધાવેલી એન્ટ્રી મુજબ આજે સવારે આઠેક વાગ્યે પોતે પી.જે.આંબલી ચોક પાસે હતો ત્યારે રાજેશ ધાંધલ અને તેની સાથે આવેલા અજાણયા શખસોએ કુહાડી, લોખંડના પાઈપો, ધોકાથી હુમલો કર્યેા હતો. હોસ્પિટલ બીછાને પડેલા મુકેશ રાજપરાએ કરેલા આક્ષેપો મુજબ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની સ્કૂલમાં વિધાર્થીના મૃત્યુની ઘટનામાં તેમજ મોટી રકમનો ભ્રષ્ટ્રાચાર, કુવરજીભાઈએ ગૌચરની મોટી જમીનવાળી લીધી હોવાથી રજૂઆત કરાઈ હતી તપાસ માગવામાં આવી છે. કુંવરજીભાઈએ તેમના ભ્રષ્ટ્રાચારો ખુલ્લા ન પડે તે માટે મને દબાવવા ડરાવવા આજે મારા પર હુમલો કરાવ્યો છે. આજે પાણી પ્રશ્ને વીંછિયા બંધનું એલાન અપાયું હતું. તે પહેલાં જ હુલમો કરાવી ફાયરિંગ પણ કરાવાયું હતું.
હુમલાખોરો પૈકી બાઈકમાં આવેલા બે શખસોએ બાઈક અથડાવ્યું ત્યારબાદ કાળા રંગની આઈ–૨૦ કારમાં રાજેશ ધાંધલ સહિતના ધસી આવ્યા હતા અને પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કરી માથામાં કુહાડી મારવા જતાં હાથ આડો રાખતા હાથમાં ઈજા થઈ હતી. શરીર પર અન્ય ભાગોમાં પણ ઈજા થઈ હતી. બનાવ સંદર્ભે જસદણ પીઆઈ આઈડી જાડેજાના કહેવા મુજબ મારામારી થઈ છે હાથે, પગે ફ્રેકચર જેવી ઈજા થઈ હશે પરંતુ ફાયરિંગ બાબતે હજુ કાંઈ સ્પષ્ટ્ર થયું નથી. હુમલા, ફાયરિંગ પાછળ સીધી રાયના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પર આંગળી ચિંધી આક્ષેપો થતા ભારે ચકચાર જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિવાજીસર્કલ અને રીંગરોડ પર મ્યુ. તંત્રનો સપાટો
September 20, 2024 04:19 PMનવનિર્મિત હોસ્પિટલ ટુંક સમયમાં કાર્યરત કરવા અંગેનો દર્દીલક્ષી નિર્ણય લેવાયો
September 20, 2024 04:17 PMવાવડી પ્રા.શાળામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૮૯૨ અરજીઓનો નિકાલ
September 20, 2024 04:16 PMદવાની ફેક્ટ્રીમાં કેમિકલ લીક થતા હડકંપ, 8 મહિલા બેશુદ્ધ, બેની હાલાત ગંભીર
September 20, 2024 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech