શિવાજીસર્કલ અને રીંગરોડ પર મ્યુ. તંત્રનો સપાટો

  • September 20, 2024 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકા તંત્ર દ્વારા તત્કાલીન કમિશ્નર ઉપાધ્યાયની બદલી થયા બાદ શહેરમાં દબાણ હટાવ કામગીરી મંદ પડી હોવાની છબી લોકોમાં ઉપસી હતી. ઉપાધ્યાયના સ્થાને ગાંધીનગરથી આવેલા ધીર અને ગંભીર કમિશ્નર સુજીત કુમાર દ્વારા શહેરની ભૂગોળ રચના તેમજ જુદાજુદા વિસ્તારોમાં અત્યાર સુધીમાં મહાપાલિકા દ્વારા દબાણો સામે થયેલી કાર્યવાહીનો અભ્યાસ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં નાના-મોટા દબાણો અંગેની  ફરિયાદો આવતા છેલ્લા કેટલાક દિવસોથી ફરિયાદ મુજબના વિસ્તારોમાંથી દબાણ હટાવ કામગીરી જારી રહેલી કાર્યવાહીમાં શહેરના શિવાજી સર્કલ તેમજ રીંગ રોડ પર મહાપાલિકાની વિભાગીય કચેરી આજુબાજુ ખડકાયેલા દબાણો સામે આજે એસ્ટેટ વિભાગ તેમજ દબાણ હટાવ સેલની ટીમે સપાટો બોલાવ્યો હતો. જેમાં ઉપરોક્ત બન્ને વિસ્તારોમાં કામગીરી હાથ ધરી બપોર સુધીમાં અસંખ્ય નાના-મોટા અને આસ્થાયી દબાણો હટાવી બે ગાડી જેટલો સામાન જપ્ત કર્યો કોવાનું જાણવા મળ્યું છે. તો હજુ પણ આ વિસ્તારોમાં દબાણ હટાવ કાર્યવાહી શરૂ હોવાનું અને દિવસ દરમ્યાન ચાલનાર હોવાનું મ્યુ. તંત્રના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application