પોરબંદરમાં રાજીવગાંધીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ થઇ અર્પણ

  • August 21, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર યુવા કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે કમલાબાગ ખાતે આવેલ રાજીવગાંધીની પ્રતિમાને પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા.
ભારતના આધુનિકીકરણના સ્વપ્નદ્રષ્ટા અને ૨૧ મી સદીના શિલ્પી, ભારતરત્ન, દેશ માટે બલિદાન આપનારા અને કોંગ્રેસના પ્રત્યેક કાર્યકર્તાના આદર્શ એવા પુર્વ પ્રધાનમંત્રી અને પુર્વ રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ  રાજીવ ગાંધીજીના જન્મજયંતી નિમિત્તે પોરબંદર યુવા કોંગ્રેસ આયોજીત કમળાબાગ ખાતે સ્વ.  રાજીવ ગાંધીના સ્ટેચ્યુ ખાતે પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા.આ તકે જિલ્લા યુવક કોંગ્રેસ અગ્રણી અજય મોઢા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ઓડેદરા, જિલ્લા સેવાદળના પ્રમુખ હરીશભાઈ મજીઠીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ચંદારાણા, શહેર સેવાદળ પ્રમુખ અશ્ર્વિનભાઈ મોતીવરસ,ભાર્ગવ જોશી, દેવાભાઈ ચૌહાણ, દેવદાસભાઈ આગઠ સહિત યુવા કોંગ્રેસ અને સીનિયર કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,રાજીવ ગાંધીની દેશના અતતાઇઓ દ્વારા હત્યા કરવામાં ન આવી હોત તો દેશ આજે વિશ્વના પહેલાં ક્રમે હોત, પ્રવકતા ભાર્ગવ જોશીએ જોશ સાથે જણાવ્યું હતું કે સ્વ રાજીવ ગાંધી ભારતના પહેલાં એવા પ્રધાનમંત્રી બન્યા છે, જેમણે એમના નેતૃત્વમાં ૧૯૮૪ માં લોકસભામાં ૪૦૦ થી વધુ સીટો જીતીને ઇતિહાસ નોંધાવ્યો હતો, જેને આજદીન સુધી તોડવામાં અન્ય દળો અસમર્થ રહ્યા છે. આ તકે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રાજુ ઓડેદરાએ જણાવ્યું હતું કે,આજની આઇ.ટી. ક્રાંતિ રાજીવ ગાંધીને આભારી છે, તેમજ શહેર સેવાદળ પ્રમુખ અશ્ર્વિનભાઈ મોતીવરસ અને શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ચંદારાણાએ સંયુક્તપણે જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી પ્રત્યેક કોંગ્રેસી કાર્યકર્તા અને નેતાઓના આદર્શ છે,અંતમાં યુવા અગ્રણી અજય મોઢાએ જણાવ્યું હતું કે,પાર્ટીનો આદેશ એજ અમારી કર્તવ્ય બધ્ધતા છે, આથી પક્ષનું કદ રાજીવ ગાંધી જેવું જ વધે એવી કામના સાથે પોરબંદરના યુવાઓનો મોટો હિસ્સો કોંગ્રેસની સાથે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application