પાટણવાવના પ્રસિદ્ધ ઓસમ ડુંગર પર ભારે વરસાદને કારણે ફસાયેલા ત્રણ નાગરિકોનું ગામના સરપંચ, ફાયર બ્રિગેડ તથા જિલ્લા વહીવટી તંત્રની સમયસૂચકતાથી રેસ્ક્યુ કરાયું હતું અને ત્રણ અનમોલ માનવ જિંદગીને બચાવાઇ હતી.
આ અંગેની વિગતો આપતા ધોરાજીના મામલતદાર એમ.જી.જાડેજાએ જણાવ્યું હતું કે, ઈદની જાહેર રજાને દિવસે ઉપલેટાના ભાવિનગીરી અપારનાથી ઉ.24 અને ક્રિશ્નાબેન ભાવિનગીરી અપારનાથી ઉ.20 તથા પાટણવાવના અરૂણાબેન જયદીપભાઈ અપારનાથી ઉ.23 ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ ડુંગર પર ફરવા ગયા હતા, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે આ ત્રણેય વ્યક્તિઓ ડુંગર પરથી નીચે ઉતરી શકે તેમ નહોતા. આથી તેમણે પાટણવાવના સરપંચ પ્રવીણભાઈ પેથાણીને બચાવવા માટે ફોન કર્યો હતો. સરપંચ પ્રવીણભાઈએ મામલતદાર એમ.જી. જાડેજાને તાત્કાલિક આ બાબતની જાણ કરતા નગરપાલિકાના ફાયર ફાઈટર તથા પાટણવાવના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.કે. કોઠીયા તાત્કાલિક ઓસમ ડુંગર પર પહોંચ્યા હતા અને જરૂરી તમામ સાધન સામગ્રીની મદદ લઇ ઉપરોકત તમામને રેસ્કયુ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech