ભાવનગરમાં તા.૨૮ નવેમ્બર, ૨૦૨૩થી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" શરુ થઈ છે. વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર દ્વારા વિવિધ ૧૭ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીને સીધો જ મળી રહે એવું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા -જુદા વોર્ડમાંથી આજે તા.૨૮થી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નું આયોજન હાથ ધરવામાં આવેલ છે .જેમાં ગુજરાત વિધાનસભા નાયબ દંડક રમણભાઈ સોલંકી દ્વારા મોતીબાગ ટાઉનહોલ ખાતેથી સવારે ૧૦ કલાકે યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ.આ પ્રસંગે મેયર,સાંસદ,ભાવનગર પૂર્વ અને પશ્ચિમના ધારાસભ્યો,મહાપાલિકાના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે જે બાબતો ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવામા આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech