કાલાવડના ખાનકોટડા સીમમાં દંપતિનો સજોડે આપઘાત

  • July 19, 2023 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા : એમપીના દંપતિના બનાવ પાછળનું કારણ જાણવા સધન તપાસ

કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામની સીમમાં પરપ્રાંતીય દંપતિએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે, કયા કારણસર પગલુ ભર્યુ એ દીશામાં પોલીસ દ્વારા સધન તપાસ ચલાવવામાં આવી રહી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મઘ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના જોબર તાલુકાના ટેમીચા ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના ખાનકોટડાની સીમમાં બાબુભાઇ પટેલની વાડી ખાતે રહેતા કૈલાશ પ્રતાપભાઇ કનેશ (ઉ.વ.૨૧) અને તેમના પતિની રામબાઇ કૈલાશ (ઉ.વ.૨૦) આ દંપતિ અહીં ભાગમાં રાખેલી વાડીએ રહીને ખેતમજુરી કરતુ હતું.
દરમ્યાન ગઇકાલે કોઇપણ અગમ્ય કારણસર રામબાઇએ ચુંદડી વડે ઓરડીના પાઇપમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો તેમજ કૈલાશભાઇએ ઓરડીના ખાટલા પર ગળાફાંસો ખાઇ ગયેલી હાલતમાં મળી આવ્યા હતા, આ અંગેની જાણ હાલ ખાનકોટડા સીમમાં રહેતા મુળ એમપીના થાનસીંગ પુનીયાભાઇ કનેશ દ્વારા ગ્રામ્ય પોલીસમાં જાણ કરવામાં આવતા સ્થળ પર પોલીસ ટુકડી દોડી આવી હતી અને બંનેના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપ્યા હતા.
પરપ્રાંતીય દંપતીના આપઘાતના બનાવથી વાડી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, કયા કારણસર તેમણે આ પગલુ ભર્યુ એ દીશામાં કાલાવડ ગ્રામ્યના પીએસઆઇ એચ.વી. પટેલ અને સ્ટાફ તપાસ ચલાવી રહયા છે. પોલીસ સુત્રોમાંથી વધુમાં મળેલી વિગત મુજબ આ યુવક-યુવતિએ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા એ પછી સમાધાન થઇ જતા જ્ઞાતીના રીવાજ મુજબ દંપતિ જોડાયા હતા અને અહીં થોડા દિવસો પહેલા જ ખેતમજુરી માટે આવ્યા હતા. દરમ્યાન આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ ગઇ છે અને બંનેના મૃતદેહને વતન મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application