ખંભાળિયામાં ભરવાડ કુમાર છાત્રાલયના નિર્માણ રૂ. 5.11 લાખનું અનુદાન

  • August 13, 2024 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભરવાડ સમાજમાં અભ્યાસ- ભણતરનો વ્યાપ અને વિસ્તાર વધી રહે તે હેતુથી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામના મૂળ રહીશ મનોજભાઈ પાલાભાઈ જાપડા અને જગદીશભાઈ પાલાભાઈ જાપડા (પીપળી ગ્રામ પંચાયતના સરપંચ)ના હસ્તે ખંભાળિયામાં નિર્માણ પામી રહેલા ભરવાડ જ્ઞાતિના કુમાર છાત્રાલયના સહયોગ માટે રૂપિયા 511,111 નું અનુદાન સાંપળ્યું છે.


સમાજ સેવામાં દાનના મહાત્મય સાથે સ્વ. પાલાભાઈ વેજાભાઈ જાપડાની જ્ઞાતિ સેવાની અવિસ્મરણીય સ્મૃતિમાં આ યોગદાન આપી અને તેમના સુપુત્રો મનોજભાઈ અને જગદીશભાઈ જાપડા દ્વારા તેમના સદગત પિતાને શ્રદ્ધાંજલિ આપી અને શ્રી સમસ્ત ભરવાડ જ્ઞાતિ સેવા સમાજ ટ્રસ્ટ ખંભાળિયા અને સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા ભરવાડ સમાજને ઉદાર હાથે આ યોગદાન અપાયું છે. જે બદલ જ્ઞાતિજનો, આગેવાનો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application