ભરૂડી અને પીઠડિયા ટોલ પ્લાઝાએ તમામ વાહન માટે ફ્રી કરવા માગ

  • August 12, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટથી જેતપુર સુધીનાં નેશનલ હાઈવે ને ૬ લેન બનાવવા માટેનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે ત્યારે માત્ર ૩૬ કિલોમીટરના અંતરે જ ભડી અને પીઠડીયા ટોલ પ્લાઝા આવેલ છે વાહન ચાલકો તોતિંગ ટોલટેકસ ચૂકવી જ રહ્યા છે પરંતુ હાલ આ નેશનલ હાઈવે પર સુવિધા ની બદલે દુવિધાનો વધારો થઈ ગયો છે માટે ભડી અને પીઠડીયા ટોલ પ્લાઝાએ તમામ વાહન માટે ફ્રી કરવા માંગ ઉઠવા પામી છે
આ નેશનલ હાઇવે અંગે વાહનચાલકો રોષ ભેર જણાવી રહ્યા હતા કે હાઈવે ઓથોરિટીના નિયમ પ્રમાણે બે ટોલ પ્લાઝા વચ્ચે ઓછામાં ઓછું ૬૦  કિ.મી.નું અંતર હોવું જરી છે પરંતુ ગોંડલ નજીકના ભડી અને વીરપુર નજીકના પીઠડીયા ટોલ પ્લાઝા વચ્ચેનું અંતર માત્ર ૩૬ કિ.મી.નું જ છે ૬ લેન રોડનું કામ ચાલી રહ્યું છે અનેક જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે શામળા અને વડી પાસે ઓવરબ્રિજ બની રહ્યા છે અકસ્માતનો ભાઈ સતત રહ્યા કરે છે આ ઉપરાંત ચોમાસાના કારણે ઠેર ઠેર રસ્તાઓના ધોવાણ થઈ જતા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે તો આ સિકસ લેન્ડનનું કામ યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી બંને ટોલ પ્લાઝા એ તમામ વાહનોને નિશુલ્ક પસાર થવા દેવા જોઈએ તેવી માંગ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application