પોરબંદરના તાંત્રિકીયાચોકમાં ઘણા વર્ષોથી ચાલતી અંધશ્રધ્ધાનું નિરાકરણ આવ્યુ છે અને સોબરગ્રુપે રાત્રિ જાગરણ કરી અંધશ્રધ્ધા ફેલાવનારાઓને શોધી કાઢયા હતા તેમજ ગોળાકાર સર્કલ બનાવી દેતા તંત્રવિધિ માટે હવે કોઇ બેસી શકે નહીં તેવી વ્યવસ્થા ગોઠવી આપી હતી.
સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા તાંત્રિકીયા ચોકમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી તે ચોક કાયદાકીય પરમિશન મેળવી છે રાત્રી નું જાગરણ કરી અને સાત જેટલા વ્યક્તિ ઓને પકડી પાડેલા અને તેમની પાસે થી મેળવેલ માહિતી મુજબ તે દરેક કોઈ ના કોઈ રીતે ભુવાના સંપર્ક આવેલ છે અને દરેકને કોઈને કોઈ પ્રોબ્લેમ હોય છે ત્યારે સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા તેમને ખોટી રીતે અંધશ્રદ્ધા મા ના પડે એવી વાત કરી અને જવા દીધેલ છે.પોરબંદરના ભુવા નું નામ સરનામું પણ મેળવેલ છે જે હવે પછી વોચ ગોઠવેલ છે અને તેમનો પણ ટુક સમય માં પર્દાફાશ કરવામાં આવશે. જાગરણ દરમિયાન માલુમ પડેલ કે અહીથી અમુક એકલા નીકળતા માણસો ડરતા હતા.તે જગ્યાએ અંધશ્રધ્ધા ફેલાવવામાં આવતી હતી તે જગ્યાએ હવે પછી કોઈ દોરાધાગા, નારિયેળ પૂતળી, ઈંડા, કંકુ, તાવડી, બગડી,ચૂંદડી, ખીલી, કાળા તલ જેવી વસ્તુ ના રાખી શકે માટે ત્યાં પણ વ્યવસ્થિત સર્કલ સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા બનાવવામાં આવેલું છે.આ સર્કલ સોબર ગ્રુપ ઓફ પોરબંદરના સ્વખર્ચે નગર પાલિકાની પરમિશન લઇ અને બનાવેલ છે.રાત્રી જાગરણ અભિયાનમાં સોબર ગ્રુપ ઓફ પોરબંદર ના પ્રમુખ વીનેશ ભાઈ ચોલેરા ઉપપ્રમુખ ભીખુ ભાઈ મહેતા, જય મજીઠીયા, હિતેશ ભાઈ ચંદારાણા, વિપુલ ભાઈ અમલાણી, બલરામ ભાઈ તન્ના, નિખિલ ભાઈ સોમૈયા, કૈલાશ ભાઈ સિમરિયા, રાજ ભાઈ પોપટ. રાજ ભાઈ માવાણી, કિશોર ભાઈ સોનિગ્રા, તુષાર ભાઈ અટારા, હરીશ ભાઈ ઠકરાર, હિતેન ભાઈ પાઉં, રાજ ભાઈ મજીઠીયા, દીપક ભાઈ. ચુડાસમાએ સાથ અને સહકાર આપેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech