નગરમાં ભારતનાટ્ય આરંગેત્રમ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

  • July 29, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોપી જાદવાણી દ્વારા પ્રસ્તુતિ: સાંસદ પૂનમબેન માડમ રહ્યા ઉપસ્થિત

ભગવાન નટરાજની કૃપાથી નૃત્ય કળા માટે પ્રતિબદ્ધ, વૈવિધ્ય એકેડેમી ઓફ ડાન્સના સંસ્થાપક નગરના પ્રતિભાશાળી કોરિયોગ્રાફર કલાગુરુ વર્ષા સોલંકીની નૃત્ય શિષ્યા અને સંજયભાઈ અને જ્યોતિબેન જાદવાણીની પુત્રી ગોપી જાદવાણીએ પોતાનું ભરતનાટ્યમ આરંગેત્રમ પુષ્પાંજલિ-ગણેશ સ્તુતિ આલારીપ્પુ જતિસ્વરમ શબ્દમ વર્ણમ વાત્સલ્ય પદમ શિવકીર્તનમ તીલ્લાના મંગલમ. જેવી નૃત્ય અભિવ્યક્તિ ચેમ્બર્સ ઓફ કોમર્સ હોલ ખાતે રજૂ કરી  ઉપસ્થિત સાસંદ પૂનમબેન માડમ, ડો.વૈધ, અર્પણ ભટ્ટ કલાગુરુ વર્ષા સોલંકી ના હસ્તે રંગમંચ આરોહણ કરી ભરતનાટ્યમની પદવી ગોપી જાદવાણીએ પ્રાપ્ત કરી હતી આરંગેત્રમના વાદ્ય વ્રુદમાં નટુવાંગમમાં ગુરુ વર્ષા સોલંકી સ્વર અપર્ણા મેનન મૃદ્ઁગમ અનંત મેનન વાયોલિન પ્રેમકિરણ  વાંસળી રાજેન્દ્ર નૈયર સંગીતના સૂર રેલાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા કાર્યક્રમનું મંચ સંચાલન દર્શી મારુ, હેત્વી વડગામા, વૈભવી શાહ એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ સંકલન અને અને આયોજન લલિત જોષીએ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application