સિહોરના વળાવડ ગામે રહેતા યુવાનને તેની પૂર્વ પત્ની અને તેના પતિ સહિત ચાર શખ્સોએ ગાળો આપી માર મારી કારમાં નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાવાતા નાયબ પોલીસ અધિક્ષકે તપાસ હાથ ધરી હતી. સિહોર પોલીસના સાધનોના જણાવ્યા મુજબ સિહોર તાલુકાના વળાવડ ગામે રહેતા રત્નકલાકાર દશરથભાઈ પ્રેમજીભાઈ બાબરીયા(ઉ. વ. ૨૪)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સિહોરની સ્વસ્તિક સોસાયટીમાં રહેતી અને પોતાની સાથે હીરાનું કામ કરતી પાયલ ઉર્ફે પૂજા ભોળાભાઈ રાઠોડ નામની યુવતિ સાથે પ્રેમ સંબંધ બંધાતા બન્નેએ કોર્ટ મારફત લગ્ન કર્યા હતા અને લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં પુત્રી પ્રાપ્ત થઇ હતી. લગ્નના થોડા વર્ષ બાદ બન્ને વચ્ચે અણબનાવ થતા પાયલ ઉર્ફે પૂજા સાથે કોર્ટ દ્વારા છુટાછેડા લીધા હતા. જેમાં ચાર વર્ષીય પુત્રી જેનીશાનો કબ્જો ફરિયાદી દશરથભાઈ પાસે રાખવા નિર્ણય કરાયો હોય જેનીશાનું પાલન-પોષણ દશરથભાઈ કરતા હતા.
દરમ્યાન પાયલ ઉર્ફે પૂજાએ બોટાદ જિલ્લાના ઉગામેડી ગામના પંકજ સામંતભાઈ ખોખાણી સાથે લગ્ન કર્યાનું જાણવા મળતું હતું. અને ગત તા. ૨૭-૦૯ના રોજ સાંજના સમયે પાયલ ઉર્ફે પૂજા, તેનો પતિ પંકજ ખોખાણી અને તેની સાથે બે અજાણ્યા શખ્સ કારમાં ફરિયાદી દશરથભાઈના ઘર પાસે આવી ઉભા હોય દશરથભાઈને પોતાની પુત્રી જેનીશાને લેવા માટે પાયલ ઉર્ફે પૂજા અને તેનો પતિ પંકજ ખોખાણી સહિતના શખ્સ આવ્યા હોવાની શંકા જતા ફરિયાદીએ તમો અહીં શુ કામ આવ્યા છો, તેમ પૂછતાં પાયલ ઉર્ફે પૂજા, તેનો પતિ પંકજ ખોખાણી તેમજ તેની સાથેના બન્ને અજાણ્યા શખ્સોએ ફરિયાદીને ગાળો આપી ઝપાઝપી કરી માર માર મારવા લગતા આજુ બાજુના લોકો આવી જતા પાયલ ઉર્ફે પૂજા તેનો પતિ પંકજ ખોખાણી અને બે અજાણ્યા શખ્સ કારમાં બેસી નાસી છૂટ્યા હતા.
દશરથભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે સિહોર પોલીસે પાયલ ઉર્ફે પૂજા પંકજભાઈ ખોખાણી, પંકજ સામંતભાઈ ખોખાણી(રે. બન્ને ઉગામેડી, તા. ગઢડા, જિ. બોટાદ) તેમજ બે અજાણ્યા શખ્સો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. અને આ બનાવની તપાસ પાલીતાણા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારીયાએ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીમાં પકડાયેલા 5600 કરોડના ડ્રગ્સ કેસની ED કરશે તપાસ
October 05, 2024 04:08 PMહરિયાણામાં 46 એવા ઉમેદવારો જે પોતાને નહીં આપી શકે મત, જાણો શું છે કારણ?
October 05, 2024 04:06 PMજંકશન, ગાયકવાડી, સિંધી કોલોની, પરસાણામાં ડિમોલિશન
October 05, 2024 03:51 PMમુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની ધારદાર હથિયારથી હુમલો કરી હત્યા
October 05, 2024 03:47 PMલેબનોન હુમલાથી ડર્યું યુએઈ: પેજર અને વોકી-ટોકી કરાઈ રહ્યા છે જપ્ત
October 05, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech