બારાબંકીમાં ત્રણ માળની ઇમારત ધસી પડી, ૧૫ દટાયા, બેનાં મોત

  • September 04, 2023 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુપીના બારાબંકીમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળ નીચે દટાયા હતા. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં ૧૫ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી બે લોકોના સારવાર દરમિયાન મોત નિપયા હતા. પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે કામે લાગી છે.


ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ખૂબ જ દર્દનાક અકસ્માત થયો છે. ફતેહપુરના સત્તી બજારમાં એક ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ, જેના કારણે લગભગ ૧૫ લોકો ઘરના કાટમાળ નીચે દટાઈ ગયા. આ અકસ્માતની માહિતી પોલીસ–પ્રશાસનને મળતા જ તમામ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ  કયુ હતું.

એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવીને સ્થાનિક સીએચસી અને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમાંથી બે લોકોના મોત થયા છે, યારે આઠ લોકોને જિલ્લા હોસ્પિટલમાંથી લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application