સુર્યમુખી સંકટમોચન મંદિર ખાતે જાણીતા ભજનીક અશોક ભાયાણી અને દિનેશ પટેલનો કાર્યક્રમ

  • September 22, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગણેશ ઉત્સવ નિમિત્તે ભજનીક અશોકભાઈ ભાયાણી, લાલપુર વાળા જાણીતા દિનેશભાઈ પટેલના ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠ સાથે સૂર્યમુખી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે માસ્તર સોસાયટી કોઠારીયા કોલોની પાસે કવોટર નંબર ૪૭૦ની સામે ૮૦ ફટ મેન રોડ યાદવ રેસ્ટોરન્ટ પાછળ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. તા.૨૩ને શનિવારના રોજ દિનેશભાઈ પટેલ લાલપુર વાળાના ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠ સાંજે ૫ વાગે ચાલુ થશે. ત્યારબાદ રામ નામ કે હીરે મોતી ફેમસ અશોકભાઈ ભાયાણીના ભવ્ય ભજન કીર્તનનો કાર્યક્રમ તા.૨૪ને રાત્રે ૯ કલાકે રાખવામાં આવેલ છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે મનોજભાઈ મારુ, કુલદીપ સાકરીયા, જીતુભાઈ ડાભી, દીપકભાઈ ચૌહાણ, નિમેષભાઈ ચૌહાણ, પારસભાઈ મહેતા, હિરેનભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ રાવલ, અશ્ર્વિનભાઈ પરમાર, રવિભાઈ જોશી, ધવલભાઈ સાકરીયા, હાદિર્કભાઈ સાકરીયા, માધવભાઈ ડાંગર, જયદેવભાઈ ડાંગર, પાર્થ વાવડીયા, અભિભાઈ પરમાર, રાજીવભાઈ ગેરૈયા, સનીભાઈ વાવડીયા, કિરીટભાઈ ભટ્ટ, હરિભાઈ સાકરીયા, મહેશભાઈ સાકરીયા, અમિતભાઈ ખારેચા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ મનોજભાઈ મારુ ૯૮૨૫૩ ૦૫૬૫૬ની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application