વેરાવળની કૃષ્ણ સોસાયટીમાંથી સિંહને જંગલમાં ખદેડી દેવાયો

  • December 22, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળના રહેણાંક વિસ્તારમાં આવી ચડેલ સિંહ ૧૨ કલાક બાદ ફોરેસ્ટ વિભાગ અને પોલીસ દ્વારા જંગલ તરફ ખદેડવામા આવેલ છે.વેરાવળ શહેરની માનવ વસાહત ધરાવતી ક્રિષ્ના સોસાયટીમાં સિંહ આવી ચડેલ અને વહેલી સવારે વાછરડાનું માંરણ કરી ખુલ્લ  પ્લોટમાં ધામા નાખેલ હતો આ સિંહ જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા.જયારે સ્થાનિકો માં ભય નો માહોલ પણ જોવા મળી રહેલ હતો.


સવારથી વન વિભાગની રેસ્કયુ ટીમ સતત ખડેપગે રહી રાત્રી ના ૮ વાગ્યે સિંહ ને સહીસલામત જંગલ તરફ ખદેડી દેવામાં આવતા વન્ય જીવ સહીસલામત જંગલ તરફ જતા વન વિભાગે રાહતનો દમ લીધેલ.આ અંગે વેરાવળ રેન્જના આર.એફ.ઓ. કે.ડી.પંપાણીયાએ  માહિતી આપતાં જણાવેલ હતું કે આજે વહેલી સવારથી એક સિંહણ ઉ. વ. આશરે ત્રણ થી  પાંચ વર્ષની  રહેણાંક વિસ્તારમા આવ્યાના સમાચાર મળતા વન વિભાગ તેમજ મરીન પોલીસ સતત આ વિસ્તારમા રહેલ અને  સાહિ સલામત આ વન્ય પ્રાણીને રાત્રીના જંગલ વિસ્તારમાં ખદેડી દીધેલ હોવાનું જણાવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application