સુરતમાં ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા યોજાયેલા શાકોત્સવમાં 1 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ શાકોત્સવમાં 12 હજાર કિલો બાજરીના લોટના 1 લાખ રોટલા બનાવવામાં આવ્યા હતા. 20 હજાર કિલો રીંગણાનું શાક સાથે 10,000 કિલો ખીચડી પણ બનાવવામાં આવી હતી.
ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા અજેન્દ્રપ્રસાદજીની આજ્ઞાથી નૃગેન્દ્રપ્રસાદની નિશ્રામાં લક્ષ્મી નારાયણ ફાર્મ શાયોના પ્લાઝા પાસે પુણા કેનાલ રોડ ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. શાકોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઇ હતી. જેમાં બે હજારથી વધુ સ્વયંસેવકો વ્યવસ્થા સંભાળી હતી. આ શાકોત્સવમાં હજારોની સંખ્યામાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે જ હજારો કિલો લોટનો પણ ઉપયોગ કરાયો હતો.
શાકોત્સવમાં 20 હજાર કિલો રીંગણા અને તેટલી જ માત્રામાં બીજા મસાલા ઉમેરાયા છે. સાથે સાથે 12 હજાર કિલો બાજરીના લોટના રોટલા લગભગ 1 લાખ જેટલી સંખ્યામાં રોટલા તૈયાર કરાયા હતી. સાથે 10,000 કિલો ખીચડી, 3,000 કિલો ટામેટા, 500 કિલો કોબી, 200 કિલો વટાણા, 200 કિલો ફ્લાવર, અને 100 કિલો ગાજર લાવવામાં આવ્યાં હતાં. શાક, રોટલા, ખીચડી વગેરે બનાવવા માટે 10 જેટલા ચૂલા તૈયાર કરાયા હતા. જેમાં 1 હજાર મણ લાકડાનો ઉપયોગ થયો હતો. 1 લાખ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો.
રાષ્ટ્રના સાચા ભક્ત બની દેશના બંધારણ મુજબ વર્તવાનું છે
લાલાજી મહારાજએ આશીર્વાદ આપતાં કહ્યું હતું કે, પ્રજાસત્તાક પર્વ છે અને તેમાં ખાસ આપણા સત્સંગનાં આયોજનો સાથે ધ્વજવંદન કરાયું તે ખરેખર પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિનું પણ મહત્ત્વ સમજો છો તેનો ગર્વ છે. આ સાથે એક વિશેષ વાત એ છે કે આપણે ભક્ત પછી પરંતુ પહેલા માણસ બનવાનું છે. રાષ્ટ્રના સાચા ભક્ત બની દેશના બંધારણ મુજબ વર્તવાનું છે.
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જાહેરાત કરાઈ
સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી તેના 200 વર્ષ પ્રારંભ થતો હોય સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત શિક્ષાપત્રીમાં આપેલ સંદેશ જન જન સુધી પહોંચાડી સર્વજીવ હિતાવહ કાર્ય કરવાની હાકલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથ ખાતે તા.૧૮ માર્ચથી ૨૧ માર્ચ દરમિયાન બીચ સ્પોર્ટસ ફેસ્ટિવલ યોજાશે
March 13, 2025 11:28 AMચલાલામાં જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો
March 13, 2025 11:27 AMખંભાળિયા રસ્તે રઝળતા આખલાને ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત
March 13, 2025 11:24 AMઅશ્વિની વૈષ્ણવે સ્ટારલિંકનું સ્વાગત કરતી પોસ્ટ કલાકમાં ડીલીટ કરી
March 13, 2025 11:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech