ઘોઘા તાલુકાના કુડા બીચ ખાતે સ્વચ્છતા અભિયાન અને તિરંગા વોક યોજાઈ

  • August 14, 2024 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી સ્વાતંત્ર્ય પર્વ, 15મી ઓગસ્ટની ઉજવણી દેશભરમાં ’હર ઘર તિરંગા’ અભિયાન દ્વારા થઈ રહી છે ત્યારે ભાવનગર જિલ્લો પણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો છે.
’હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત  ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા બીચ ખાતે સ્વચ્છતા અભિયાન અને તિરંગા વોક યોજાઈ હતી. આ તિરંગા યાત્રા અને સ્વચ્છતા અભિયાનમાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ દેશના આન- બાન-શાન સમા તિરંગો લહેરાવ્યો હતો.
ઘોઘા તાલુકાના ગામોમાં ગ્રામજનોએ પોતાના ગામની સફાઈ કરી, ઘરો પર તિરંગો લહેરાવી ’હર ઘર તિરંગા’ યાત્રા યોજી હતી. તિરંગા યાત્રામાં ગ્રામજનો સહિત ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ, યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈને આગવા અંદાજમાં પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. જેમાં તાલુકાના પદાધિકારીઓ પણ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા.
દેશવાસીઓના હૃદયમાં પ્રખર રાષ્ટ્રભક્તિનું નિમર્ણિ થાય અને રાષ્ટ્ર પરત્વે પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે તેઓ વધુ સજાગ બને તે હેતુથી તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application