રાણીપાર્કમાં રહેતા કેટરર્સના ધંધાર્થીનો ઝેર પી આપઘાત

  • August 18, 2023 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના રાણીપાર્ક મેઇન રોડ મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા કેટરર્સના ધંધાર્થીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જોકે તેમણે કયાં કારણસર આ પગલું ભરી લીધું તે હજુ જાણી શકાયું નથી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા રાણીપાર્ક મેઇન રોડ પર રહેતા મનસુખભાઈ કેશુભાઈ સાંગાણી(ઉ.વ ૪૭) નામના આધેડ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે તેમનું મોત થયું હતું.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના સ્ટાફે બનાવસ્થળે પહોંચી જરી કાર્યવાહી કરી હતી.
આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, મનસુખભાઈ ત્રણ ભાઈના પરિવારમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર છે. મનસુખભાઈ કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું માલુમ પડું છે. તેમણે કયાં કરણસર આ પગલું ભયુ તે અંગે પરિવારજનો અજાણ હોય આપઘાતનું કારણ જાણી શકાયું નથી. પરંતુ પોલીસ સૂત્રમાંથી જાણવા મળેલી વિગત મુજબ મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. હાલ મૃતકના પરિવારજનો તેની અંતિમવિધિમાં હોય ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાવશે તેવું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application