શહેરના રાણીપાર્ક મેઇન રોડ મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા કેટરર્સના ધંધાર્થીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જોકે તેમણે કયાં કારણસર આ પગલું ભરી લીધું તે હજુ જાણી શકાયું નથી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા રાણીપાર્ક મેઇન રોડ પર રહેતા મનસુખભાઈ કેશુભાઈ સાંગાણી(ઉ.વ ૪૭) નામના આધેડ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે તેમનું મોત થયું હતું.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના સ્ટાફે બનાવસ્થળે પહોંચી જરી કાર્યવાહી કરી હતી.
આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, મનસુખભાઈ ત્રણ ભાઈના પરિવારમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર છે. મનસુખભાઈ કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું માલુમ પડું છે. તેમણે કયાં કરણસર આ પગલું ભયુ તે અંગે પરિવારજનો અજાણ હોય આપઘાતનું કારણ જાણી શકાયું નથી. પરંતુ પોલીસ સૂત્રમાંથી જાણવા મળેલી વિગત મુજબ મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. હાલ મૃતકના પરિવારજનો તેની અંતિમવિધિમાં હોય ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાવશે તેવું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિવાજીસર્કલ અને રીંગરોડ પર મ્યુ. તંત્રનો સપાટો
September 20, 2024 04:19 PMનવનિર્મિત હોસ્પિટલ ટુંક સમયમાં કાર્યરત કરવા અંગેનો દર્દીલક્ષી નિર્ણય લેવાયો
September 20, 2024 04:17 PMવાવડી પ્રા.શાળામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૮૯૨ અરજીઓનો નિકાલ
September 20, 2024 04:16 PMદવાની ફેક્ટ્રીમાં કેમિકલ લીક થતા હડકંપ, 8 મહિલા બેશુદ્ધ, બેની હાલાત ગંભીર
September 20, 2024 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech