આજકાલ પ્રતિનિધિ-ભાવનગર ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન, મહુવા અને મોડેલ સ્કૂલ, તળાજાના સંયુક્ત ઉપક્રમે તળાજામાં ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ચિત્ર પ્રદર્શનનું આયોજન થયુ હતું. ગુજરાત,મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને કેનેડામાંથી ૩૧૫ ચિત્રકારોએ મેઘધનુષ્યના સપ્તરંગો દ્વારા કૃષ્ણના ચિત્રોનું સુંદર આલેખન કર્યું હતું. આ ચિત્ર પ્રદર્શન ૧૫, ૧૬ અને ૧૭ ઓગસ્ટના રોજ યોજાયુ હતું.
આ ચિત્ર પ્રદર્શન તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, સંતો-મહંતો અને મહેમાનોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યુ હતું. આમંત્રિત મહેમાનોનું પીપળાના પાનમાં કૃષ્ણની પ્રતિકૃતિ આપીને સ્વાગત કરવામાં આવેલ. ૨૨ ચિત્રકારોને કલારત્ન એવોર્ડ ૨૦૨૪ અને ૪૦ શ્રેષ્ઠ કૃતિને મોમેન્ટો અને અન્ય ચિત્રકારોને મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવેલ.
વિદ્યાદાન મહાદાનમાં ૧૦૦ માતા પિતા વિહોણા અને દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ. સમાપન સમારોહના અધ્યક્ષ મયુરભાઈ નાગર ચિત્રકાર રાજકોટ ભારદ્વાજ બાપુ તળાજા અને ચિત્રકાર ભરતભાઈ ડોડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ.
ચિત્ર પ્રદર્શનની સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટ, લાઈવ લેન્ડસ્કેપ ,કૃષ્ણ ક્રાઉન, ટેટુ, રંગોળી, નેઇલ આર્ટ, મહેંદી વગેરે કલાની પ્રવૃત્તિઓ દ્વારા ત્રિદિવસ કૃષ્ણમય વાતાવરણમાં કલારસિકોએ ભક્તિ ,કલા અને કરુણાનો લહાવો લીધો. ૨૦ ચિત્રકારોએ પોતાની કલાકૃતિ વિદ્યાદાન મહાદાનમાં અર્પણ કરીને સેવાયજ્ઞમાં અર્પણ કરેલ. ૨૦ નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિની પસંદગી કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન, મહુવા પરિવાર, મોડેલ સ્કૂલ, તળાજા પરિવાર ,શૈક્ષણિક સંસ્થાઓ અને વિશાલભાઈ રાજ્યગુરુ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech