છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ સામે નિર્ણાયક યુદ્ધ શરૂ કર્યું છે. રાયપુરથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 2026 સુધીમાં માઓવાદીઓને ખતમ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેરાત બાદ છત્તીસગઢ પોલીસ અને સેન્ટ્રલ ફોર્સના જવાનોએ નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન તેજ કરી દીધું છે.
બસ્તરના નારાયણપુર અને કાંકેરના સરહદી વિસ્તારના અબુઝહમદના જંગલોમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે. નારાયણપુરના એસપી પ્રભાત કુમાર સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જયારે નારાયણપુરના એએસપી રોબિન્સન ગુરિયાની સાથે એસપી પ્રભાત કુમાર પણ આ મોટા નક્સલ વિરોધી ઓપરેશનમાં જવાનોના સંપર્કમાં છે.
આઈજી પી સુંદરરાજે કહ્યું કે એન્કાઉન્ટરમાં તમામ જવાનો સુરક્ષિત છે. જવાનોની શોધખોળ ચાલુ છે. આ સમયગાળા દરમિયાન, વચ્ચે-વચ્ચે ગોળીબાર ચાલુ છે. સૂત્રોના હવાલાથી ઘટનાસ્થળેથી ત્રણ નક્સલીઓના મોતના સમાચાર પણ મળ્યા છે. માર્યા ગયેલા ત્રણેય નક્સલી મહિલા હોવાનું કહેવાય છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech