નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ ), જે દવાઓની કિંમતો નક્કી કરે છે, તેણે ૬૫ નવી દવાઓ (ફાર્માસ્યુટિકલ ફોમ્ર્યુલા) માટે છૂટક કિંમતો નક્કી કરી છે અને ૨૦ દવાઓની મહત્તમ કિંમતોમાં સુધારો કર્યેા છે. નવી દવાઓ જેની છૂટક કિંમતો નક્કી કરવામાં આવી છે તેમાં સામાન્ય રીતે ટાઇપ ૨ ડાયાબિટીસ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, બેકટેરિયલ ચેપ અને પીડા રાહતની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓનો સમાવેશ થાય છે. જે દવાઓ માટે સુધારેલી કિંમત નક્કી કરવામાં આવી છે તેમાં મુખ્યત્વે વિવિધ રોગો માટેની રસી અને ઈન્જેકશન માટે વપરાતા નિસ્યંદિત પાણીનો સમાવેશ થાય છે. એનપીપીએની બેઠકમાં લેવાયેલા નિર્ણયોના આધારે નવા ભાવો જાહેર કરવામાં આવ્યા છે.
નોટિફિકેશન અનુસાર, એટોર્વાસ્ટેટિન અને ઇઝેટીમીબના ટેબ્લેટ કોમ્બિનેશન ફોમ્ર્યુલેશન્સ (એફડીસીએસ)નો ઉપયોગ મુખ્યત્વે કોલેસ્ટ્રોલની સારવાર માટે થાય છે, બેકટેરિયલ ચેપની સારવારમાં ઉપયોગમાં લેવાતા અમોકિસસિલિન અને પોટેશિયમ કલેવ્યુલેનેટ અને ટાઇપ–૨ ડાયાબિટીસમાં વપરાતા ગ્લિકલાઝાઇડ અને મેટફોર્મિનની મહત્તમ કિંમત હાઇડ્રોકલોરાઇડનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. આ સિવાય ડી–૩ વિટામિન સપ્લીમેન્ટ અને એન્ટી ફંગલ ઇટ્રાકોનાઝોલ કેપ્સ્યુલની કિંમત પણ નક્કી કરવામાં આવી છે.
એનપીપીએના નોટિફિકેશન મુજબ, જે ૨૦ દવાઓની મહત્તમ કિંમતોમાં સુધારો કરવામાં આવ્યો છે, તેમાં ૧૩ નવી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં, હડકવા, ટિટાનસ, ઓરી અને બીસીજી માટે મુખ્યત્વે ઇન્જેકટેબલ ઇમ્યુનોગ્લોબ્યુલિન અને નિસ્યંદિત પાણી માટે નવી કિંમતો નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, સાત આવશ્યક ફોમ્ર્યુલાની આ યાદીમાં થાઇમિન (વિટામિન બી૧), લિોકેઇન, એસ્કોર્બિક એસિડ (વિટામિન સી) ગોળીઓ અને કલેરિથ્રોમાસીન (એન્ટિબાયોટિક) ગોળીઓ તેમજ સીરપનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech