જે કરદાતાઓએ અગાઉ તેમનું ઈન્કમ ટેકસ રિટર્ન (આઈટીઆર) ફાઈલ કયુ હતું, પરંતુ કોઈ કારણસર રિટર્ન રિજેકટ કરવામાં આવ્યું હતું અથવા રિટર્નમાં કોઈ ભૂલ છે, તો આવા કરદાતાઓએ રિવાઈડ આઈટીઆર ફાઈલ કરવું પડશે. આ માટેની છેલ્લી તારીખ ૩૧મી ડિસેમ્બર છે પરંતુ કરદાતાઓને રાહત આપતા બોમ્બે હાઈકોર્ટે રિવાઈડ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવવાનો આદેશ આપ્યો છે. કરદાતાઓ હવે ૩૧ ડિસેમ્બરના બદલે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં તેમના સુધારેલા રિટર્ન ફાઇલ કરી શકશે. આ ઓર્ડર કરદાતાઓની અપીલ બાદ આવ્યું છે જેમાં તેઓને રિવાઇડ રિટર્ન ઓનલાઈન ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે તેમને વધુ ટેકસ ચૂકવવો પડો હતો. કોર્ટે આ કરદાતાઓને રિવાઇડ રિટર્ન ફાઇલ કરવા અને ટેકસ રિબેટનો દાવો કરવા માટે વધારાનો સમય આપ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ અમિત બોરકરની આગેવાની હેઠળની હાઈકોર્ટની બેન્ચે અવલોકન કયુ કે ૫ જુલાઈ, ૨૦૨૪થી ફાઇલિંગ યુટિલિટીમાં ફેરફારને કારણે મોટી સંખ્યામાં કરદાતાઓ કલમ ૮૭એ હેઠળ મુકિતની ગણતરી કરી શકયા નથી. આવી સ્થિતિમાં તેઓએ વધુ ટેકસ ચૂકવવો પડો. કોર્ટે કહ્યું, કલમ ૮૭એ હેઠળ મુકિત કુદરતી રીતે કરદાતાઓની કુલ આવક સાથે જોડાયેલી છે. તે તમામ પાત્ર કરદાતાઓ માટે ઉપલબ્ધ હોવું જોઈએ. કરદાતાઓએ ફરિયાદ કરી હતી કે ઈન્કમટેકસે તેના પોર્ટલમાં કેટલાક સોટવેર બદલ્યા છે. જેના કારણે રિવાઇડ રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે ચેમ્બર ઓફ ટેકસ કન્સલ્ટન્ટસ વતી બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી હતી. તેણે દલીલ કરી હતી કે ૫ જુલાઈ, ૨૦૨૪ પછી ટેકસ ફાઇલિંગ યુટિલિટીમાં કરવામાં આવેલા ફેરફારો કરદાતાઓને કલમ ૮૭એ હેઠળ મુકિતનો દાવો કરતા મનસ્વી રીતે અટકાવ્યા. કલમ ૮૭એ હેઠળ જૂની ટેકસ સિસ્ટમમાં ૫ લાખ પિયા સુધીની આવક ધરાવતા કરદાતાઓ ૧૨,૫૦૦ પિયાની છૂટ મેળવવા માટે હકદાર છે. નવી સિસ્ટમ હેઠળ ૭ લાખ પિયા સુધીની આવક ધરાવતા કરદાતાઓને ૨૫,૦૦૦ પિયાની ટેકસ રિબેટ મળવાપાત્ર છે. અપડેટ કરેલી ફાઇલિંગ યુટિલિટીએ નવા શાસન હેઠળ રિટર્ન ફાઇલ કરનારા ઘણા કરદાતાઓ માટે આ મુકિત દૂર કરી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech