લખનઉમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ વર્ષનો બાળક બીમારીથી મૃત્યુ પામ્યો અને ત્યારબાદ તેને દફનાવવામાં આવ્યો હતો. ઘટનાના ત્રીજા દિવસે બાળકની દાદીને સ્વપ્ન આવ્યું કે તેનો પૌત્ર જીવિત છે. આ પછી, સંબંધીઓએ તેની કબર ખોદીને બાળકને બહાર કાઢ્યું. પરિવારજનોએ તેની પૂજા પાઠ કરી અને તેને હોસ્પિટલ લઈ ગયા. લખનૌમાં 14 જાન્યુઆરીએ 3 વર્ષના બાળકનું બીમારીથી મૃત્યુ થયું હતું અને તેને દફનાવવામાં આવ્યો હતો. 17 જાન્યુઆરીએ બાળકની દાદીને સપનું આવ્યું કે બાળક જીવિત છે, તેથી બાળકને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો. પૂજા પાઠ કર્યા બાદ સંબંધીઓ બાળકને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો.
રાજધાની દુબગ્ગા કોતવાલી વિસ્તારમાંથી જાણવા મળ્યું છે કે, અંધશ્રદ્ધામાં, સંબંધીઓએ પહેલા ત્રણ વર્ષના માસૂમના અંતિમ સંસ્કાર કરીને તેને દફનાવ્યો અને બાદમાં તેને કબરમાંથી બહાર કાઢ્યો. મળતી માહિતી મુજબ 14 જાન્યુઆરી 2023ના રોજ મૃતક માસૂમના પરિજનોએ 15 જાન્યુઆરીએ અંતિમ સંસ્કાર કર્યા હતા.
પ્રાથમિક શાળાની પાછળના સ્મશાનમાં બાળકને દફનાવામાં આવ્યો હતો. ત્યારબાદ કબરની પૂજા કર્યા બાદ માસૂમના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર 17 જાન્યુઆરીએ માસૂમના મૃતદેહને કબરમાંથી કાઢવામાં આવ્યો હતો. એસએચઓ દુબગ્ગાનું કહેવું છે કે જ્યારે પોલીસની ટીમ સૂચના પર ઘટનાસ્થળે પહોંચી તો બાળકનું શરીર ગરમ હતું. જે બાદ માસૂમને સારવાર માટે બલરામપુર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એક મૃત્યુ
September 20, 2024 11:50 AMધોરાજીમાં કૌટુંબિક દાદા, ચાર મહિલા સહિત આઠ વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ મહિલા
September 20, 2024 11:44 AMભાજપના સદસ્યતા અભિયાનમાં 2511 સભ્યો જોડાયા
September 20, 2024 11:35 AMભારતે યુક્રેનને તોપગોળા આપ્યા: રિપોર્ટથી હોબાળો
September 20, 2024 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech