29 અઠવાડિયાની ગર્ભવતી સગીરાને હાઈકોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી

  • September 28, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન અનિચ્છનીય ગર્ભધારણને દૂર કરવા અંગે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સગીર પીડિતાને 29 અઠવાડિયાની અનિચ્છનીય ગભર્વિસ્થાના ગર્ભપાતની પરવાનગી આપી છે. કોર્ટે કહ્યું કે જિલ્લાના સીએમઓ અને ડોક્ટરોને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીની પ્રક્રિયાની ખબર નથી. આ સાથે કોર્ટે પ્રિન્સિપલ સેક્રેટરી મેડિકલ હેલ્થને એસઓપી જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત પીડિતાનું તથા તેના પરિવારનું નામ ગુપ્ત રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.
અલ્હાબાદ હાઈકોર્ટ પ્રેગ્નન્સીના મેડિકલ ટર્મિનેશનની મંજૂરી આપવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. દરમિયાન, તેના આદેશમાં, કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યના સીએમઓ અને ડોકટરો મહિલાની તપાસ કરતી વખતે અનિચ્છનીય ગભર્વિસ્થા દૂર કરવાના કેસમાં અનુસરવામાં આવતી પ્રક્રિયા વિશે જાણતા નથી. તેથી, હાઈકોર્ટે તબીબી આરોગ્ય અને પરિવાર કલ્યાણના અગ્ર સચિવને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ એસઓપીનું પાલન તમામ ચીફ મેડિકલ ઓફિસરો અને તેમના દ્વારા રચવામાં આવેલ બોર્ડ કરશે. જસ્ટિસ શેખર બી. સરાફ અને જસ્ટિસ મંજીવ શુક્લાની ડબલ બેન્ચે આ આદેશ આપ્યો છે.
હકીકતમાં, સગીર પીડિતા અને તેના પરિવારે અલાહાબાદ હાઈકોર્ટમાં ગભર્વિસ્થાના તબીબી સમાપ્તિની મંજૂરી માટે અરજી કરી હતી. કોર્ટે મેડિકલ બોર્ડની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેણે તેનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
મેડિકલ બોર્ડના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીડિતાની પ્રેગ્નન્સી અંદાજે 29 અઠવાડિયાની છે. આ તબક્કે ગભર્વિસ્થાને પૂર્ણ અવધિ સુધી લઈ જવાથી પીડિતના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન થશે. પીડિતા અને તેના પરિવારના સભ્યો ગભર્વિસ્થાને તબીબી સમાપ્તિ ઇચ્છતા હતા, તેથી કોર્ટે અરજી સ્વીકારી અને ગર્ભપાતને મંજૂરી આપી. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જે દશર્વિે છે કે જિલ્લાઓના સીએમઓ, મેડિકલ કોલેજો અને ડોક્ટરોએ પીડિતાની તપાસ માટે મેડિકલ બોર્ડના સભ્યોને પીડિતાની તપાસ કરતી વખતે અને ગભર્વિસ્થાના દરમિયાન અનુસરવાની પ્રક્રિયા વિશે કોઈ યોગ્ય માહિતી નથી. કોર્ટે કહ્યું કે, અધિનિયમ, 1971માં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી સૂચવવામાં આવી છે.
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે સમગ્ર પ્રક્રિયામાં સામેલ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખવાની રહેશે.તે ગંભીર ચિંતાનો વિષય છે કે કેટલાક જિલ્લાઓમાં ડોકટરો ઉપરોક્ત કાયદાઓ અને ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી બિલકુલ પરિચિત નથી. અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે કેસના કોમ્પ્યુટર રેકોર્ડમાંથી પીડિતા અને તેના પરિવારના સભ્યોના નામ કાઢી નાખવામાં આવે અને ભવિષ્યમાં પણ પ્રેગ્નન્સીના મેડિકલ ટર્મિનેશન સંબંધિત કેસોમાં પીડિતા અથવા તેના પરિવારના સભ્યોના નામનો ઉલ્લેખ ન કરવો જોઈએ. આવા કિસ્સાઓમાં, શીર્ષકમાં પીડિતા અથવા પિટિશન દાખલ કરનાર તેના કોઈપણ સંબંધીઓ માટે ફક્ત એક્સ અક્ષર હોવો જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application