રાજકોટમાં હવે 24×7 આરોગ્ય કેન્દ્ર ચાલુ રહેશે, નિષ્ણાંત ડોક્ટર્સ સહિતના સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ : ડે.કમિશનર

  • August 22, 2023 12:31 PM 



રાજકોટમાં મનપા આરોગ્ય ક્ષેત્રે વધુ એક કદમ આગળ વધી રહ્યું છે. હવેથી રાજકોટ શહેરના 5 આરોગ્ય 24 કલાક ચાલુ રાખવામાં આવશે જેને લઇને રાજકોટવાસીઓને આરોગ્યલક્ષી સેવા 24×7 મળી રહેશે. આગામી 1 મહિના બાદ આ સેવા શરૂ કરી નાખવામાં આવશે. જેના માટે સ્ટાફની ભરતીની પ્રક્રિયા પણ ચાલી રહ્યુ છે. તેમજ આરોગ્ય કેન્દ્રમાં સગર્ભાઓની ડિલિવરીની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. ક્યાં પાંચ આરોગ્ય કેન્દ્રમાં આ સેવા શરૂ કરાશે તે બાબતે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે. પરંતુ આ સેવાને લઇને હવે રાજકોટના નાગરિકો આરોગ્ય કેન્દ્રનો લાભ 24 કલાક લઈ શકશે. 


રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ : ડે.કમિશનર


રાજકોટ શહેરના પાંચ આરોગ્ય કેન્દ્ર જેમાં 24 કલાક સેવા આપવામાં આવશે. તેમાં મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનીશ્યન, નિષ્ણાંત ડોક્ટર્સ સહિતનો સ્ટાફ ઉપલબ્ધ રહેશે. ભરતી સહિતની પ્રક્રિયા પણ હાલ મનપા દ્વારા ચાલી રહી છે. ટૂંક સમયમાં ભરતીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application