સુભાસ બ્રિજ પાસે આર્થિક તંગીના કારણે યુવાનનો આપઘાત

  • February 22, 2023 07:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સુભાષ બ્રિજ નજીક રહેતા એક યુવાને આર્થિક તંગીના કારણે તેમજ લગ્ન થતા ન હોવાના કારણે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


જામનગરમાં સુભાષ બ્રિજ નજીક એમ.બી. બિલ્ડીંગ ખાતે રહેતા અને લુહારી કામ કરતા જયેશ દેવજીભાઈ સોલંકી નામના ૪૨ વર્ષના લુહાર જ્ઞાતિના યુવાને પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.





મૃતકના મોટાભાઈ રાજેન્દ્ર દેવજીભાઈ સોલંકી એ પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની પોલીસ ટુકડીએ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


 પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવક છૂટક મજૂરી કામ કરતો હતો, અને તેની ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, જેથી તંગી ભોગવતો હતો. ઉપરાંત તેના લગ્ન પણ થયા ન હોવાથી લગ્ન બાબતે મનમાં લાગી આવતાં ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application