આ વખતે જગન્નાથ રથયાત્રા 7મી જુલાઈ 2024ના રોજ કાઢવામાં આવશે. આ વખતે રથયાત્રાના દિવસે પાંચ શુભ યોગ રચાઈ રહ્યા છે જે ખૂબ જ દુર્લભ છે. જ્યોતિષ શાસ્ત્રીઑએ જણાવ્યું કે આ વખતે દ્વિતિયા તિથિ 7 જુલાઈએ સવારે 3:44 વાગ્યે શરૂ થશે અને દ્વિતિયા તિથિ 8 જુલાઈએ સવારે 4:14 વાગ્યે પૂરી થશે. આ કારણે ભક્તોને દિવસભર પૂજા કરવાનો મોકો મળશે.
અષાઢ માસની શુક્લ પક્ષની બીજી તિથિએ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ યોગમાં રથયાત્રા કાઢવામાં આવશે. આ યોગ આખા દિવસ માટે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પર શિવવાસનો દુર્લભ યોગ બની રહ્યો છે. આ દિવસે દેવોના દેવ મહાદેવ વિશ્વ માતા આદિશક્તિ મા પાર્વતી સાથે રહેશે.
હિંદુ કેલેન્ડર મુજબ, દર વર્ષે અષાઢ મહિનાના બીજા દિવસે, ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે તેમની માસીના ઘરે જાય છે. દર વર્ષે, ઓડિશાના પુરી શહેરમાં સ્થિત જગન્નાથ મંદિરમાં ખૂબ જ ધામધૂમથી રથયાત્રા કાઢવામાં આવે છે. જગન્નાથ મંદિરથી ત્રણ સુશોભિત રથ નીકળે છે. આમાં બલરાજજીનો રથ આગળ છે, બહેન સુભદ્રાનો રથ મધ્યમાં છે અને જગન્નાથ પ્રભુનો રથ પાછળ રહે છે. પદ્મ પુરાણ અનુસાર, ભગવાન જગન્નાથની બહેને એકવાર શહેરને જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પછી જગન્નાથજી અને બલભદ્ર તેમની બહેન સુભદ્રાને રથ પર લઈને શહેર બતાવવા નીકળ્યા. આ દરમિયાન તે ગુંડીચામાં તેનાં માસીના ઘરે પણ ગયા હતા અને સાત દિવસ રોકાયો હતો. ત્યારથી અહીં રથયાત્રા કાઢવાની પરંપરા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech