ભારતીય ટીમ હાલ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પાંચ મેચની ટી-20 સીરીઝની તૈયારી કરી રહ્યા છે. ભારતીય ટીમની પ્રથમ મેચ 6 જુલાઈએ રમાશે. બીસીસીઆઈએ આ સીરીઝ માટે યુવા ખેલાડીઓને તક આપી છે. ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ સીરીઝમાં ભારતના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ સુકાની હશે. આ સિવાય આશા છે કે આ સીરીઝમાં ઘણા ખેલાડીઓ ટી20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ પણ કરી શકે છે. ટીમ ઈન્ડિયા 8 વર્ષ પછી ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે. આ દરમિયાન ભારતીય ટીમની જર્સીમાં એક મોટી ભૂલ જોવા મળી છે.
ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે એ જ ડિઝાઈનની જર્સી પહેરશે જે તેણે વર્લ્ડ કપ દરમિયાન પહેરી હતી. યુવા ખેલાડીઓની નવી જર્સીનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ જર્સીમાં એક મોટી ભૂલ છે. વાસ્તવમાં, T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ, ટીમ ઈન્ડિયાના નામે હવે બે T20 વર્લ્ડ કપ છે. આવી સ્થિતિમાં, આ જર્સીમાં બીસીસીઆઈના લોગો પર બે સ્ટાર હોવા જોઈએ, પરંતુ આ જર્સીમાં એક જ સ્ટાર છે. જે T20 વર્લ્ડ કપ 2007 માટેનો છે. જો કે, સીરીઝની પ્રથમ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા સમાન સ્ટાર જર્સી પહેરશે કે પછી તેમાં ફેરફાર કરવામાં આવશે તે જોવું રસપ્રદ રહેશે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ 6 જુલાઈએ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યાથી આયોજિત કરવામાં આવશે. આ મેચનું આયોજન હરારે સ્પોર્ટ્સ ક્લબમાં કરવામાં આવશે. ભારત વિ ઝિમ્બાબ્વે સીરીઝની પ્રથમ T20 મેચ ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. તમે SonyLIV એપ અને વેબસાઈટ પર આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કરી શકો છો.
શુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા (વિકેટકીપર) કીપર), હર્ષિત રાણા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech