ભાવનગર : આધેવાડા નજીક પાણી ભરેલા ખાડામાં નહાવા પડેલા બે કિશોરના ડૂબી જવાથી મોત

  • October 02, 2023 06:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગરના સ્વસ્તિક પાર્ક સોસાયટી ખાતે રહેતા અને કાળીયાબીડ વિસ્તાર ખાતે રહેતા બે  કિશોર સિદસર રોડ પર આવેલ હિલપાર્ક સોસાયટી થી આધેવાડા તરફ જવાના રોડ પાસે આવેલ પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડ્યા હતા.દરમિયાનમાં ડૂબેલા બંને કિશોરને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા.જ્યાં બંને કિશોરના મોત નીપજ્યા હતા.


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગરની સ્વસ્તિક પાર્ક સોસાયટીમાં રહેતો શિવમ જગદીશભાઈ મોરખીયા અને કાળીયાબીડમાં રહેતો સતીશ ઠાકરશીભાઈ ગોહેલ આજે હિલપાર્કથી આધેવાડા તરફ જવાના રોડ પાસે આવેલ પાણી ભરેલા ખાડામાં નહાવા માટે પડ્યા હતા તે દરમિયાન બંને કિશોર ડૂબવા લાગતા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. 


આ બનાવવાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડ ટીમ દ્વારા બંને કિશોરને પાણીમાંથી બહાર કાઢતા શિવમનું મોત થયું હતું, જ્યારે સતીશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું પણ મોત નીપજ્યું હતું.


પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે કિશોરના મોત નીપજવાની ઘટનાના પગલે બંને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application