રાજકોટમાં રહેતા અને વ્યાજખોરના ત્રાસથી હિજરત કરીને વતન કાલાવડના પીપર ગામે રહેવા ચાલ્યા ગયેલા ઈમિટેશન જવેલરીના ધંધાર્થી યુવકનું રાજકોટમાંથી વ્યાજખોર પિતા-પુત્રએ કારમાં અપહરણ કર્યાના દશ દિવસ બાદ પણ હજી યુવકનો કોઈ પત્તો નહીં લાગતા યુવકની પત્નીએ વ્યાજખોર પિતા-પુત્ર સામે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગતો મુજબ યજ્ઞેશ રમેશભાઈ રાંક ઉ.વ.૩૨ રાજકોટમાં પત્ની પુત્ર સાથે શનેશ્ર્વર પાર્કમાં રહેતો હતો અને ઈમિટેશનનું કામ કરતો હતો. તેણે દિનેશસિંહ ઠાકુર નામના શખસ પાસેથી વ્યાજે નાણા લીધા હતા. જે નાણાની ઉઘરાણી માટે દિનેશ અવારનવાર ઘરે આવતો હતો અને યજ્ઞેશને ધમકી આપતો હતો. નાણા આપી દીધા છતાં વધુ નાણા કઢાવવા ત્રાસ આપતા હોવાથી યજ્ઞેશ પરિવાર સાથે વતન પીપર ગામ રહેવા ચાલ્યો ગયો હતો. ત્યાંથી રાજકોટ અપડાઉન કરતો હતો. ગત તા.૯ના રોજ ઘરેથી રાજકોટ જવા નીકળ્યા બાદ બીજા દિવસ સુધી પરત નહીં આવતા ફોન કર્યો હતો ત્યારે યજ્ઞેશે પોતે દિનેશભાઈ સાથે છે પિયાની લેતીદેતીની વાત છે અને સુરત જાઈએ છીએ કાંઈ ચિંતા ન કરતા કહી ફોન કટ કરી નાખ્યો હતો.
બીજા દિવસે તા.૧૧ના રોજ યજ્ઞેશનો ફોન આવ્યો કે હું ઉર્વિક સાથે રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગરોડ પર ઉભો હતો ત્યારે દિનેશસિંહ તથા તેનો પુત્ર યશરાજસિંહ આવ્યા અને બળજબરીથી કારમાં બેસાડીને ઉદયપુર લઈ ગયા છે. નાણાનો મેળ કરી દઉ એટલે મને જવા દેશે. ત્યારબાદ તા.૧૫ના રોજ યજ્ઞેશે ફરી ઘરે ફોન કર્યો કે, હું દિનેશસિંહ સાથે છું આજે મિત્રોને મળીને નાણાની વ્યવસ્થા કરી લઈશ વકિલ કે.સી.સાહેબને મળવા જવાના છીએને દિનેશસિંહને ઓળખે છે એટલે તેઓ માની જશે. સાંજ સુધક્ષમાં ઘર પરત આવી જઈશ. ત્યારબાદ યજ્ઞેશનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો અને ગઈકાલ સુધી સતત સ્વીચ ઓફ આવતો હોવાથી ચિંતિત પરિવારે રાજકોટમાં તપાસ કરી હતી. જયાંથી અપહરણ કર્યુ ત્યાંના સીસીટીવી કઢાવતા યજ્ઞેશને સ્વીફટ કારમાં બળજબરીથી લઈ જતાં હોવાના ફૂટેજ સામે આવ્યા હતા.
ફૂટેજ આધારે તેમજ પતિનો ૧૦ દિવસ વિત્યે કોઈ સંપર્ક ન થતાં પરિણીતા હેતલબેને વ્યાજખોર પિતા-પુત્ર સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech